ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટ લેતા વૃદ્ધ સારવારમાં


SHARE













મોરબીના જેતપર રોડ ઉપર ટ્રેક્ટર ચાલકે બાઇકને હડફેટ લેતા વૃદ્ધ સારવારમાં

મોરબીના સામાકાંઠે જેતપર રોડ ઉપર આવેલ જૂની પીપળી ગામે ગોકુલધામ સોસાયટી વિસ્તારમાં રહેતા વૃદ્ધ પોતાનું બાઈક લઈને જેતપર રોડ ઉપરથી જતા હતા ત્યારે અજાણ્યા ટ્રેક્ટરના ચાલકે તેમને હડફેટ લેતા ઈજાઓ થતાં રમણીકભાઈ ગિરધરભાઈ નામના ૬૯ વર્ષીય વૃદ્ધને શહેરના સામાકાંઠે આવેલ સમર્પણ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અકસ્માત બનાવ અંગે હોસ્પિટલ તરફથી જાણ થતા હાલમાં બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.જ્યારે મોરબીના માળીયા હાઇવે ઉપર ટીંબડી ગામના પાટીયા પાસે સર્જાયેલ વાહન અકસ્માતના બનાવમાં ભાવેશ જગદીશભાઈ નિમાવત (ઉંમર ૩૩) રહે.ત્રિલોકધામ સોસાયટી નવલખી રોડ વાળાને ઇજાઓ પહોંચતા તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જ્યાંથી તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના રફાળેશ્વર ગામે રહેતો જયેશ નરસીભાઈ ચાવડા નામનો યુવાન પોતાનું બાઈક લઈને જતો હતો ત્યારે રફાળેશ્વર ગામની પાસે નર્મદા કેનાલ નજીક તેનું બાઈક અકસ્માતે સ્લીપ થઈ જતા ઈજાઓ થવાથી તેને અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસમાં જાણ થતા હાલ તાલુકા પોલીસ દ્વારા આ અંગે નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે વાહન અકસ્માતનો બીજો બનાવ મોરબીના સામાકાંઠે સર્કિટ હાઉસ પાસે આવેલ માળિયા ફાટક નજીક બન્યો હતો જે વાહન અકસ્માતના બનાવમાં પંચાસર (શિવનગર) ના રહેવાસી હિમાંશુ જે.ધોરીયાણી નામના ૨૨ વર્ષના યુવાનને ઇજા થતા શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો જેથી બનાવ અંગે હાલ બી ડિવિઝન પોલીસમાં જાણ થયેલી હોય બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અકસ્માત બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના કંડલા બાઇપાસ ઉપર વાવડી ચોકડી પાસે આવેલ અતુલ શક્તિના શોરૂમ નજીક વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં કાનજીભાઈ ભુરાભાઈ વડગાસીયા (ઉમર ૬૪) રહે.તુલસીકલા એપાર્ટમેન્ટ ઓમપાર્ક નાની કેનાલ નજીક મોરબી વાળાને ઇજાઓ પહોંચતા અત્રેની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા બનાવને પગલે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફૂલતરીયાએ તપાસ કરી હતી અને તેમાં સામે આવ્યુ હતુ કે કાનજીભાઈ વડગાસિયા બાઇક લઈને જતા હતા ત્યારે વાવડી ચોકડી નજીક તેમના બાઇકને અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં તેઓને ઈજા પહોંચતા અત્રે ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.






Latest News