માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં આજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી નજીક કારખાનામાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત: બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી
Breaking news
Morbi Today

મોરબીમાં જમવાનું મોડું બનાવતા પતિએ આપેલા ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી જતા પરિણિતા સારવારમાં


SHARE













મોરબીમાં જમવાનું મોડું બનાવતા પતિએ આપેલા ઠપકાનું લાગી આવતા ઝેરી દવા પી જતા પરિણિતા સારવારમાં

મોરબીના નવાગામ (લખધીરનગર) ની રહેવાસી મહિલા ઝેરી દવા પી જતા તેણીને સારવાર માટે ખસેડવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે કામકાજેથી પતિ ઘરે આવ્યો હોય અને સમયસર જમવાનું બન્યું ન હોય તે બાબતે પત્નીને ઠપકો આપ્યો હતો તે વાતનું લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!

બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા પાસેથી મળતી વિગતો મુજબ મોરબીના નવાગામ (લખધીરનગર) ના રહેવાસી ભાવનાબેન કિશોરભાઈ દારોદ્રા નામની ૩૬ વર્ષની મહિલા તેણીના ઘરે ઝેરી દવા પી જતા તેઓને બેભાન હાલતમાં અત્રે મંગલમ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ થતા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યું હતું કે, ભાવનાબેનનો લગ્ન ગાળો ૧૬ વર્ષનો છે અને પતિ કિશોરભાઈ કામકાજેથી ઘરે આવ્યા હોય અને પરત કામે જવાનું હોય પરંતુ ઘરે રસોઈ બની ન હોય તે બાબતે તેઓએ તેમના પત્નીને સામાન્ય ઠપકો આપ્યો હતો તે બાબતનું મનમાં લાગી આવતા ભાવનાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું.

ગીર સોમનાથ પોલીસની કાર્યવાહી

મોરબી ખાતે ગીર સોમનાથ એલસીબીના હેડ કોન્સ્ટેબલ એન.બી.બસીયા આવ્યા હતા અને ત્યાં તાલાળા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુના નંબર ૧૦૧-૨૦૧૬ આઇુીસી કલમ ૪૦૬, ૪૨૦ (છેતરપિંડી) સહીતના ગુનામાં આરોપી પ્રકાશ નાથાભાઇ રાણીંગા જાતે સોની નાસતો ફરતો હોય અને તે આરોપી તપાસ દરમિયાન મોરબીમાંથી મળી આવતા પ્રકાશ રાણીંગાને હસ્તગત કરીને તપાસના કામે પોતાની સાથે લઈ જવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.

વાહન અકસ્માતમાં ઇજા

રબીના લાતી પ્લોટ વિસ્તારમાં આવેલ મુનનગર નજીક બાઇકમાં પાછળના ભાગે બેસીને જતા મીનાબેન હીરાભાઈ લોખિલ (ઉમર ૨૪) રહે.મવડી ચોકડી પાસે રાજકોટ વાળીને ઇજા થતા સારવારમાં લઇ જવાયા હતા તેઓ બાઇનૂ પાછળ બેસીને જતા હતા તે સમયે મુનનગર પાસે બાઇક સ્લીપ થઈ જવાના બનેલ અકસ્માત બનાવમાં ઇજા થતાં સારવાર માટે અત્રેની ઓમ ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News