મોરબીમાં યુવાન અને તેના માતા-પિતાને માર મારનાર ચાર પૈકી ત્રણની ધરપકડ
મોરબીના નિખિલ મર્ડર કેસને બાબા બાગેશ્વર ઉકેલી આપે તો દસ લાખનું ઇનામ: રમેશભાઈ રબારી
SHARE
મોરબીના નિખિલ મર્ડર કેસને બાબા બાગેશ્વર ઉકેલી આપે તો દસ લાખનું ઇનામ: રમેશભાઈ રબારી
હાલમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીજીને જુદાજુદા વિસ્તારમાંથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના કોંગ્રેસી આગેવાનએ બાબા બાગેશ્વરને મોરબીમાં વર્ષ ૨૦૧૫ માં નિખિલ ધામેચા નામના બાળકની હત્યા કરવામાં આવી હતી તે હત્યા કેસનો ભેદ ઉકેલાયેલ નથી ત્યારે જો આ મર્ડર કેસના આરોપી કોણ છે તે બાબા કહી દેશે તો તેને દસ લાખનુ ઈનામ આપવાની જાહેરાત કરી છે
બાબા બાગેશ્વર ઘિરેન્દ્ર શાસ્ત્રી આગામી તા. ૧ અને ૨ જૂનના રોજ રાજકોટમાં આવી રહ્યા છે ત્યારે મોરબીમાં શનાળા રોડ હાઉસિંગ બોર્ડમાં રહેતા પરેશભાઈ ધામેચાના દીકરા નિખિલ ધામેચાની વર્ષ ૨૦૧૫ હત્યા થઇ હતી જેનો ગુનો પણ નોંધાયો હતો જો કે, આરોપી આજ દિવસ સુધી પકડાયેલ નથી ત્યારે હત્યા કેસમાં કોની- કોની સંડોવણી છે ? આ હત્યા થવા નુ કારણ શું? વગેરે બાબત સામે આવી નથી ત્યારે લોકોના દર્દ દુ:ખ પરેશાની દૂર કરનાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટ આવી રહ્યા છે ત્યારે મોરબીના નિખિલ ધામેચા હત્યા કેસને ઉકેલવા માટે મોરબીના કોંગ્રેસનાં આગેવાન રમેશભાઈ રબારીએ બાબા બાગેશ્વરને ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે, મોરબી પોલીસ નિખિલ ધામેચા હત્યા કેસનો ભેદ ઉકેલી શકી નથી ત્યારે તેના કુટુંબીજનોને ન્યાય મળેલ નથી જેથી કરીને પરિવારે ગુજરાત હાઇકોર્ટ પાસે પણ ન્યાયની ભીખ માંગેલી હતી તેમ છતાં ન્યાય મળેલ નથી તેવા સમયે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી નિખિલ ધામેચા હત્યા કેસના આરોપીનું નામ આપે અથવા તો આરોપી સુધી સુધી પોલીસને પહોંચવાનો રસ્તો બતાવે તો રૂપિયા ૧૦ લાખનુ ઈનામ આપવાની જાહેરાત કરેલ છે