મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન
SHARE
મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા બાબા બાગેશ્વરને ખુલ્લુ સમર્થન
બાબા બાગેશ્વર ધીરેન્દ્રકુમાર શાસ્ત્રી (સનાતન હિન્દુ ધર્મના પ્રચારક) રાજકોર આવી રહ્યા છે ત્યારે તેને ઠેરઠેરથી ચેલેન્જ આપવામાં આવી રહી છે ત્યારે મોરબીના રાજપૂત સમાજના યુવા આગેવાનો દ્વારા તેને ખુલ્લુ સમર્થન આપવામાં આવ્યું છે
મોરબીમાં રહેતા રાજપૂત સમાજના યુવા આગેવાન દેવેન્દ્રસિંહ જાડેજા (સજનપર) અને બ્રિજરાજસિંહ ઝાલાએ રાજકોટમાં યોજાનાર કાર્યક્રમને ખુલો ટેકો આપેલ છે અને તા ૧/૬ તેમજ ૨/૬ ના રોજ જે કાર્યક્રમ થવાનો છે ત્યારે તેઓના તમામ મિત્રો સાથે રાજકોટ સ્થળ પર હાજર રહશે અને જે લોકો બાબાનો વિરોધ કરવા આવશે તેને તેઓના જ અંદાજમાં જવાબ દેવામાં આવશે તેવું જણાવ્યુ છે અને વધુમાં કહ્યું છે કે, હિન્દૂ સનાતન ધર્મના રક્ષણ માટે ક્ષત્રિયો દ્વારા વિરોધીઓને જડબાતોડ જવાબ આપવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી