મોરબીના બેલા ગામે યુવાને ભર્યું અંતિમ પગલું
SHARE
મોરબીના બેલા ગામે ઘરે ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત
મોરબી તાલુકાના બેલા ગામે રહેતા યુવાને કોઈ કારણોસર પોતાની જાતે ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે રહેતા હિતેશભાઈ તેજાભાઈ મકવાણા (૨૬) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે કોઈ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આપઘાતના આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી લેવાનું જાણવા મળેલ છે
અજાણી દવા પી ગયા
મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઉંદરડી માતાજીના મંદિર પાસે વાડી વિસ્તારમાં રહેતા પ્રભુભાઈ કાનજીભાઈ ભાલોડીયા (૭૦) નામના વૃદ્ધે કોઈ કારણોસર પોતાની જાતે ઘરે અજાણી દવા પી લીધી હતી જેથી તે બેભાન થઈ જતા તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને હોસ્પિટલે તે વૃદ્ધને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી જાત ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ. બારૈયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ રફાળેશ્વર નજીક મેગ્નમ સીરામીક કારખાના પાસે કાર ચાલકે હડફેટે રહેતા રાજેશ દેવશીભાઈ કેવડા (૨૦) રહે. એસ્પોન સીરામીક માટેલ રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે
અકસ્માતમાં ઇજા
મોરબી શહેરના સામાકાંઠે વિસ્તારમાં જુના ઘૂટું રોડ ઉપર ત્રાજપર ચોકડી નજીક મેલડી માતાજીના મંદિર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ત્રાજપર ચોકડી પાસે રહેતા નવઘણભાઈ માત્રાભાઈ ભરવાડ (૫૦) ને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે આધેડને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળ કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે









