મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ


SHARE









મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ

ગ્રાહક તકરાર નિવારણ સ્ટેટ કમિશનમાં હાલે ૨૦૧૫ નો કેઇસ ચાલે છે હવે જીલ્લા કમીશનમાં પચાસ લાખના કેઇસના નિકાલ માટે અધિકાર આપેલ છે માટે સ્ટેટમાં પચાસ લાખ સુધીના જે કેઈસ હોઇ તે કેસ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવા માટે માંગ કરવામાં આવેલ છે.

જાગો ગ્રાહક જાગોની યોજના સરકારે ખુબ જ સારી બનાવી છે પણ હાલ તે નિષ્ફળ જઇ રહી હોય તેવુ જણાય છે કારણકે પચાસ લાખ સુધીના કેઇસનો જે તે જીલ્લા ફોરમને અધિકાર આપેલ છે પરંતુ હાલે સ્ટેટ કમીશનમાં ૨૦૧૪ નાં કેઇસો ચાલે છે જો પચાસ લાખ સુધીનાં કેઇસ સ્ટેટમાં હોઇ તેને જેતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવામાં આવે તો ગ્રાહકને ઝડપથી ન્યાય મળે આ પરીસ્થસતીમાં ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે ગ્રાહકોની માંગણી છે કે પહેલાં વીસ લાખ સુધીના કેસ જે તે જીલ્લા ફોરમમાં ચાલતા હતા તે મુજબ હવે પચાસ લાખની મર્યાદા જીલ્લામાં થઇ ગઇ છે તો અમદાવાદના આવા કેઇસો જે તે જીલ્લા ફોરમમાં ચલાવવામાં આવે તો યોજના સફળ થશે અને ગ્રાહકને ન્યાય મળશે માટે આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ માંગ કરેલ છે. તે ઉપરાંત ગ્રાહક સુરક્ષા વિભાગ-દિલ્લીના મંત્રી પીયુષ ગોયલ, ગપજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, ગ્રાહક સુરક્ષા વિભાગ મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, કમીશનર ગ્રાહક-અમદાવાદ, કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી-માળિયા) ને પણ લેખીત રજુઆત કરેલ છે.






Latest News