માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ

ગ્રાહક તકરાર નિવારણ સ્ટેટ કમિશનમાં હાલે ૨૦૧૫ નો કેઇસ ચાલે છે હવે જીલ્લા કમીશનમાં પચાસ લાખના કેઇસના નિકાલ માટે અધિકાર આપેલ છે માટે સ્ટેટમાં પચાસ લાખ સુધીના જે કેઈસ હોઇ તે કેસ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવા માટે માંગ કરવામાં આવેલ છે.

જાગો ગ્રાહક જાગોની યોજના સરકારે ખુબ જ સારી બનાવી છે પણ હાલ તે નિષ્ફળ જઇ રહી હોય તેવુ જણાય છે કારણકે પચાસ લાખ સુધીના કેઇસનો જે તે જીલ્લા ફોરમને અધિકાર આપેલ છે પરંતુ હાલે સ્ટેટ કમીશનમાં ૨૦૧૪ નાં કેઇસો ચાલે છે જો પચાસ લાખ સુધીનાં કેઇસ સ્ટેટમાં હોઇ તેને જેતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવામાં આવે તો ગ્રાહકને ઝડપથી ન્યાય મળે આ પરીસ્થસતીમાં ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે ગ્રાહકોની માંગણી છે કે પહેલાં વીસ લાખ સુધીના કેસ જે તે જીલ્લા ફોરમમાં ચાલતા હતા તે મુજબ હવે પચાસ લાખની મર્યાદા જીલ્લામાં થઇ ગઇ છે તો અમદાવાદના આવા કેઇસો જે તે જીલ્લા ફોરમમાં ચલાવવામાં આવે તો યોજના સફળ થશે અને ગ્રાહકને ન્યાય મળશે માટે આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ માંગ કરેલ છે. તે ઉપરાંત ગ્રાહક સુરક્ષા વિભાગ-દિલ્લીના મંત્રી પીયુષ ગોયલ, ગપજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, ગ્રાહક સુરક્ષા વિભાગ મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, કમીશનર ગ્રાહક-અમદાવાદ, કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી-માળિયા) ને પણ લેખીત રજુઆત કરેલ છે.






Latest News