મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત મોરબી મહાપાલિકા અને જિલ્લા પંચાયતની 76 બેઠકો માટે ભરાયેલા 321 ફોર્મમાંથી 49 રદ, 272 ઉમેદવારો મેદાનમાં ટંકારાના છતર ગામના જેઠાણી-દેરાણી સહિત 7 પદયાત્રીઓને વિરમગામ નજીક ટ્રક ચાલકે કચડી નાખ્યા મોરબીમાં નજીવી રકમ માટે મિત્રનું મર્ડર કરી ૨૪ વર્ષથી ફરાર આરોપી પકડાયો મોરબીના યુવાશક્તિ ફાઉન્ડેશન-જડેશ્વર જીવદયા ગ્રુપ દ્વારા જીવદયાનો અનોખો પ્રયાસ મોરબીના આમરણ ગામે જુદીજુદી ત્રણ સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો મોરબી આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજાની કુશળતાએ વૃદ્ધનું જીવન બચાવ્યુ છેલ્લા એક માહિનામાં મોરબીના પ્રત્યેક સિરામિક ઉદ્યોગકારને 50 લાખથી 1.5 કરોડનું નુકશાન: મનોજભાઇ એરવાડીયા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ


SHARE













મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ

ગ્રાહક તકરાર નિવારણ સ્ટેટ કમિશનમાં હાલે ૨૦૧૫ નો કેઇસ ચાલે છે હવે જીલ્લા કમીશનમાં પચાસ લાખના કેઇસના નિકાલ માટે અધિકાર આપેલ છે માટે સ્ટેટમાં પચાસ લાખ સુધીના જે કેઈસ હોઇ તે કેસ જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવા માટે માંગ કરવામાં આવેલ છે.

જાગો ગ્રાહક જાગોની યોજના સરકારે ખુબ જ સારી બનાવી છે પણ હાલ તે નિષ્ફળ જઇ રહી હોય તેવુ જણાય છે કારણકે પચાસ લાખ સુધીના કેઇસનો જે તે જીલ્લા ફોરમને અધિકાર આપેલ છે પરંતુ હાલે સ્ટેટ કમીશનમાં ૨૦૧૪ નાં કેઇસો ચાલે છે જો પચાસ લાખ સુધીનાં કેઇસ સ્ટેટમાં હોઇ તેને જેતે જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં મોકલવામાં આવે તો ગ્રાહકને ઝડપથી ન્યાય મળે આ પરીસ્થસતીમાં ગ્રાહકોને ગ્રાહક સુરક્ષા ઉપરથી વિશ્વાસ ઉઠતો જાય છે ગ્રાહકોની માંગણી છે કે પહેલાં વીસ લાખ સુધીના કેસ જે તે જીલ્લા ફોરમમાં ચાલતા હતા તે મુજબ હવે પચાસ લાખની મર્યાદા જીલ્લામાં થઇ ગઇ છે તો અમદાવાદના આવા કેઇસો જે તે જીલ્લા ફોરમમાં ચલાવવામાં આવે તો યોજના સફળ થશે અને ગ્રાહકને ન્યાય મળશે માટે આ બાબતે યોગ્ય વિચારણા કરવામાં આવે તેવી મોરબી શહેર-જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સમક્ષ માંગ કરેલ છે. તે ઉપરાંત ગ્રાહક સુરક્ષા વિભાગ-દિલ્લીના મંત્રી પીયુષ ગોયલ, ગપજરાતના સીએમ ભુપેન્દ્ર પટેલ, ગ્રાહક સુરક્ષા વિભાગ મંત્રી કુંવરજીભાઇ બાવરીયા, કમીશનર ગ્રાહક-અમદાવાદ, કાંતિલાલ અમૃતિયા (ધારાસભ્ય મોરબી-માળિયા) ને પણ લેખીત રજુઆત કરેલ છે.






Latest News