મોરબી ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા કેસના ભરાવાને ધ્યાનમાં લઇ સ્ટેટના કેસ જિલ્લામાં ચલાવવા માંગ
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ
SHARE
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ
મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, તે ચાલુ છે કે બંધ તે જોવાની તસ્દી પાલિકા દ્વારા લેવામાં આવી રહી નથી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ છે જેથી કરીને મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બંધ પડેલા મહિલા શૌચાલયને ચાલુ કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.
મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, અશોકભાઈ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વર્ષોની માંગણી પછી મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવેલ છે જો કે, છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ હાલતમાં છે અને મહિલા શૌચાલયને ચાલુ કરવા માટેની કોઈ તસ્દી લેવામાં આવી રહી નથી ત્યારે આ મહિલા શોચાલય ખંઢેર થઈ જાય તે પહેલા તેની સફાઈ કરાવીને તેને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મહિલા શૌચાલયના બારણાં પણ તૂટી ગયા છે અને લાઈટો પણ ચોરાઈ ગઈ છે તેમજ ત્યાં અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે જેથી કરીને વહેલી તકે આ મહિલા શૌચાલયને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે