માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ


SHARE













મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ

મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવ્યું છે જો કે, તે ચાલુ છે કે બંધ તે જોવાની તસ્દી પાલિકા દ્વારા લેવામાં આવી રહી નથી ત્યારે છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ છે જેથી કરીને મહિલાઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે બંધ પડેલા મહિલા શૌચાલયને ચાલુ કરવા માટે સામાજિક કાર્યકરોએ કલેકટર મારફતે મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

મોરબીના સામાજિક કાર્યકરો રાજુભાઈ દવેજગદીશભાઈ બાંભણીયાઅશોકભાઈ ખરચરિયા અને મુસાભાઈ બ્લોચે હાલમાં પાલિકાના ચીફ ઓફિસરથી લઈને મુખ્યમંત્રી સુધી લેખિતમાં રજુઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબીના નહેરૂ ગેઇટ ચોકમાં વર્ષોની માંગણી પછી મહિલાઓ માટે શૌચાલય બનાવવામાં આવેલ છે જો કે, છેલ્લા દોઢ વર્ષથી મહિલા શૌચાલય બંધ હાલતમાં છે અને મહિલા શૌચાલયને ચાલુ કરવા માટેની કોઈ તસ્દી લેવામાં આવી રહી નથી ત્યારે આ મહિલા  શોચાલય ખંઢેર થઈ જાય તે પહેલા તેની સફાઈ કરાવીને તેને ચાલુ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, મહિલા શૌચાલયના બારણાં પણ તૂટી ગયા છે અને લાઈટો પણ ચોરાઈ ગઈ છે તેમજ ત્યાં અવારા તત્વોનો અડ્ડો બની ગયો છે જેથી કરીને વહેલી તકે આ મહિલા શૌચાલયને શરૂ કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News