માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો


SHARE













વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં આવેલ જમીનના શેઢા બાબતે યુવાન સાથે તકરાર ચાલતી હતી તેનો ખાર રાખીને ગામમાં આવેલ બંધ દુકાન પાસે બે શખ્સોએ તે યુવાનને પકડી રાખ્યો હતો બે શખ્સોને તેને ધોકા વડે માર માર્યો હતો તેમજ બે શખ્સોએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણ જાતે કોળી (૪૫)એ હાલમાં સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઈ ચમનભાઈ, મેરામભાઇ ચમનભાઈ, દિનેશભાઈ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ રહે. બધા વિનયગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિનયગઢ ગામની સીમમાં તેઓની જમીનની બાજુમાં આરોપી ચમનભાઈ રમેશભાઈની જમીન આવેલ છે અને તેના સેઢા બાબતે મનદુઃખ ચાલતું હોય તે બાબતનો ખાર રાખીને વિનયગઢ ગામે આવેલ રાણાભાઇ પોપટભાઈની દુકાન પાસે તેને મેરામભાઇ અને દિનેશભાઈએ પકડી રાખ્યો હતો અને સગરામભાઇ તથા રમેશભાઇએ તેને લાકડાના ધોકા વડે માર્યો હતો. ત્યારબાદ ત્યાં સવજીભાઈ અને ચમનભાઈ આવ્યા હતા અને તેમણે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં છ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મારામારી જાનથી મારી રાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News