ખેડૂતોના ખેતરમાં વીજપોલ ઊભા થવાથી આપઘાત કરવા પડે તેવો ઘાટ: હળવદ માર્કેટ યાર્ડને વેપારીઓ-ખેડૂતોનો બાઇક-કાર રેલી સાથે અનોખો વિરોધ મોરબી : આયુષ હોસ્પિટલના ડૉ.સત્યજીતસિંહ જાડેજાની વધુ એક ક્રિટિકલ કેર ક્ષેત્રે અભૂતપૂર્વ અને નોંધપાત્ર સિદ્ધિ મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો


SHARE











વાંકાનેરના વિનયગઢમાં શેઢાની તકરારમાં યુવાન ઉપર છ શખ્સોએ કર્યો હુમલો

વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામની સીમમાં આવેલ જમીનના શેઢા બાબતે યુવાન સાથે તકરાર ચાલતી હતી તેનો ખાર રાખીને ગામમાં આવેલ બંધ દુકાન પાસે બે શખ્સોએ તે યુવાનને પકડી રાખ્યો હતો બે શખ્સોને તેને ધોકા વડે માર માર્યો હતો તેમજ બે શખ્સોએ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હાલમાં યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે છ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વિનયગઢ ગામે રહેતા ભરતભાઈ રવજીભાઈ ચૌહાણ જાતે કોળી (૪૫)એ હાલમાં સગરામભાઇ પાંચાભાઇ, રમેશભાઈ ચમનભાઈ, મેરામભાઇ ચમનભાઈ, દિનેશભાઈ, સવજીભાઈ નરસીભાઈ અને ચમનભાઈ રમેશભાઈ રહે. બધા વિનયગઢ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે, વિનયગઢ ગામની સીમમાં તેઓની જમીનની બાજુમાં આરોપી ચમનભાઈ રમેશભાઈની જમીન આવેલ છે અને તેના સેઢા બાબતે મનદુઃખ ચાલતું હોય તે બાબતનો ખાર રાખીને વિનયગઢ ગામે આવેલ રાણાભાઇ પોપટભાઈની દુકાન પાસે તેને મેરામભાઇ અને દિનેશભાઈએ પકડી રાખ્યો હતો અને સગરામભાઇ તથા રમેશભાઇએ તેને લાકડાના ધોકા વડે માર્યો હતો. ત્યારબાદ ત્યાં સવજીભાઈ અને ચમનભાઈ આવ્યા હતા અને તેમણે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લીધા બાદ હાલમાં છ શખ્સોની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે મારામારી જાનથી મારી રાખવાની ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News