મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં ધ ઓરીયેન્ટલ ઈન્સ્યુરન્સની ઓફિસ બદલાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત


SHARE















મોરબીમાં ધ ઓરીયેન્ટલ ઈન્સ્યુરન્સની ઓફિસ બદલાવવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની રજૂઆત

મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ધ ઓરીયેન્ટલ ઈન્સ્યુરન્સ કુ.પ્રા.લી.ના રીજીયોનલ મેનેજરને લેખિત રજૂઆત કરીને તેઓની ઓફિસ ટૂકી પડતી હોય મોટી અને સારી ઓફિસ બનાવવાની માંગ કરેલ છે

આ રજૂઆતમાં તેઓએ જણાવ્યુ છે કે, મોરબી એક ઔદ્યોગિક શહેર છે ઘણી બધી ફેકટરીઝ ના કારણે ટ્રાન્સપોર્ટના ધંધા સારા ચાલે છે. જેના કારણે ફાયનાન્સ, વિમા અને બેન્કોના ધિરાણના ધંધા માં તેજી દેખાય છે. આના કારણે વિમા કંપની, ફાયનાન્સ બેન્કોએ અદ્યતન ઓફીસો અને ગ્રાહકોને સંતોષ થાય તેવી સગવડતા આપે છે. મોરબીમાં ઓરીયેન્ટ ક.નું નામછે, સ્ટાફ સારોછે પરંતુ સગવડતા ના નામે મીંડુ છે. સીંતેર વરસ જુની લાકડાની ઓફીસ, સાંકડા દાદરા, પાર્કીંગની કોઈ સુવિધા નહી, સ્કુટર પણ પાર્ક થઈ શકે નહીં ત્યાં મોટરની વાત કયાં કરવી ? ભરચક બજારમાં આવેલી ઓફીસોથી ગ્રાહકો હવે નારાજ થતા જાય છે. જો ઓરીયેન્ટ વિમા કંપનીએ વધારે ધંધો કરવો હોય તો હાલે જે ઓફીસ છે તે તાત્કાલીક બદલવી જોઈએ, ગ્રાહકો સારી સુવિધા માંગેછે. મોરબીમાં ધંધો સારો છે જેના કારણે ઘણી બધી વિમા કંપની ફાયનાન્સ કર્યું. બેન્કો આવેલ છે. અધિકારી વર્ગ ગ્રાહક તરફે કે તેની સગવડતા પર ધ્યાન આપતા નથી જેના કારણે ગ્રાહકો દિવસે દિવસેઓરીયેન્ટ વિમા કહ્યું. સામે નારાજ હોય છે તેવુ જણાયછે. જેથી ધંધાની ગળાકાપ હરીફાઈમાં ટકવુ હોય તો વિમા કંપનીએ ગ્રાહકની માંગણી મુજબ ઓફીસ બદલવી જરૂરીછે જો આમ નહીં કરે તો ગ્રાહકોને ઓરીયેન્ટ વિમા કંપનીમાંથી બીજી કંપનીમાં જવાની ફરજ પડશે તેવુ દેખાય છે.






Latest News