મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ


SHARE













મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપર મીલ સામે પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી છે જેથી તેની બોડીને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના સાગર જિલ્લાના મુહાલી ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના ગામની સીમા આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો અનુપભાઈ રામસિંહ ગોડ જાતે આદિવાસી (૨૪) નામના યુવાનની કારખાના પાસે આવેલ પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મૃતક યુવાનના ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરવા માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન છોટુભાઈ દશરથભાઈ ગોડ જાતે આદિવાસી રહે. હાલ ન્યુલક્ષ પેપરમીલ કારખાના વાળાએ જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૨૨/૫  ના રોજ કારખાનેથી મોરબી જાઉં છું તેવું કહીને અનુપભાઈ નીકળ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડી કોહવાઈ ગયેલ હાલતમાં મળી છે જેથી કરીને પોલીસે શંકાના આધારે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે






Latest News