રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ


SHARE









મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપર મીલ સામે પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી છે જેથી તેની બોડીને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના સાગર જિલ્લાના મુહાલી ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના ગામની સીમા આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો અનુપભાઈ રામસિંહ ગોડ જાતે આદિવાસી (૨૪) નામના યુવાનની કારખાના પાસે આવેલ પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મૃતક યુવાનના ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરવા માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન છોટુભાઈ દશરથભાઈ ગોડ જાતે આદિવાસી રહે. હાલ ન્યુલક્ષ પેપરમીલ કારખાના વાળાએ જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૨૨/૫  ના રોજ કારખાનેથી મોરબી જાઉં છું તેવું કહીને અનુપભાઈ નીકળ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડી કોહવાઈ ગયેલ હાલતમાં મળી છે જેથી કરીને પોલીસે શંકાના આધારે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે






Latest News