મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ


SHARE















મોરબી નજીક પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી: તપાસ શરૂ

મોરબી તાલુકાના ઘૂટું ગામની સીમમાં આવેલ પેપર મીલ સામે પાણીના ખાડામાંથી યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી આવી છે જેથી તેની બોડીને પીએમ માટે પ્રથમ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી ફોરેન્સિક પીએમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલે લઈ જવામાં આવેલ છે હાલમાં આ બનાવની મૃતકના પરિવારજન દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના સાગર જિલ્લાના મુહાલી ગામનો રહેવાસી અને હાલમાં મોરબીના ગામની સીમા આવેલ ન્યુલક્ષ પેપરમીલ કારખાનામાં રહીને ત્યાં મજૂરી કામ કરતો અનુપભાઈ રામસિંહ ગોડ જાતે આદિવાસી (૨૪) નામના યુવાનની કારખાના પાસે આવેલ પાણીના ખાડામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં પાણીમાં તરતી લાશ મળી આવી હતી જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી અને મૃતક યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી મૃતક યુવાનના ડેડબોડીનું ફોરેન્સિક પીએમ કરવા માટે તેને રાજકોટ ખસેડવામાં આવેલ છે આ બનાવની મોરબી તાલુકા પોલીસને મૃતકના પરિવારજન છોટુભાઈ દશરથભાઈ ગોડ જાતે આદિવાસી રહે. હાલ ન્યુલક્ષ પેપરમીલ કારખાના વાળાએ જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને વધુમાં પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ગત તા. ૨૨/૫  ના રોજ કારખાનેથી મોરબી જાઉં છું તેવું કહીને અનુપભાઈ નીકળ્યા હતા અને ત્યારબાદ તેની ડેડબોડી કોહવાઈ ગયેલ હાલતમાં મળી છે જેથી કરીને પોલીસે શંકાના આધારે આગળની રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે






Latest News