મોરબીમાં માહેશ્વરી સમાજ દ્વારા ધામધુમથી મહેશ જયંતિની ઉજવણી કરાઇ
મોરબી : ફ્રી ટિફિન સેવા દ્વારા આજે પણ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે
SHARE
મોરબી : ફ્રી ટિફિન સેવા દ્વારા આજે પણ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે
મોરબીના ફ્રી ટિફિન સેવા દ્વારા કાલે તા.૩૦ ને મંગળવારે પણ રાહતદરે નોટબુક, ચોપડા, કંપાસ, સ્કૂલબેગનું વિતરણ કરાશે.વિતરણ કેમ્પ 28/05 ના રાખેલ તેમાં જરૂરિયાતમંદ 1085 પરિવારને લાભ મળ્યો, અને સ્ટોક પૂરો થઇ જવા છતાં બીજા 398 પરિવારને નોટબુક ચોપડા આપવા માટે યાદી બનાવવામાં આવેલ.જેમને આજ તા.30-૫ ને મંગળવારના સાંજે 7-30 થી 11-00 સુધીમાં આપવાના છે. જે પરિવાર આ લાભથી વંચિત રહી ગયેલ હોય તેમને મંગળવાર સાંજે 7-30 થી 11-00 સુધીમાં આવવા ફ્રી ટિફિન સેવા પરિવાર દ્વારા વિનંતી કરાયેલ છે.
સ્થળ
ફ્રી ટિફિન સેવા ,ડાયમંડ બ્યૂટી પાર્લર પાછળ, કાલિકા પ્લોટ શેરી નંબર-૩ રવાપર રોડ મોરબી, સંપર્ક : 94081 01954
મોરબીના સજજનપર ગામ-ગોસ્વામી સમાજનું ગૌરવ
મોરબીના ટંકારા તાલુકાના સજજનપર ગામનાં વતની ગોસ્વામી ભરતવન લાભવન ના પુત્ર ગોસ્વામી યતિદેવન (શિવમ) એ એસએસસી બોર્ડ ૨૦૨૩ માં લેવાયેલ પરિક્ષામાં ૯૪.૧૪ પીઆર સાથે એ૨ ગ્રેડ મેળવીને જ્ઞાનદિપ વિધાલય અને ગોસ્વામી પરિવાર તથા સજજનપર ગામનું નામ રોશન કર્યું છે.શાળાનાં શિક્ષકો, સગાં-સંબંધીઓ તથા મિત્રોએ શિવમ શિક્ષણ ક્ષેત્રે વધુને વધુ સિધ્ધિઓ હાંસલ કરતો રહો તેવી શુભકામનાઓ પાઠવી હતી.