મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીથી ભીમ અગિયારસે દીકરીને મળવા રાજકોટ જતાં યુવાનનું અકસ્માતમાં મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE







મોરબીથી ભીમ અગિયારસે દીકરીને મળવા રાજકોટ જતાં યુવાનનું અકસ્માતમાં મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં

રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતો યુવાન મોરબીમાં કામ કરતો હતો અને ત્યાંથી આજે ભીમ અગિયારસના દિવસે પોતાની દીકરી અને પરિવારજનોને મળવા માટે રાજકોટ જતો હતો દરમિયાન ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામ પાસે રસ્તા ઉપર ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તે બાઈકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતા સન્નીભાઈ અરવિંદભાઈ સુરેલા (૨૬) નામનો યુવાન મોરબીમાં કામકાજ કરતો હતો અને આજે ભીમ અગિયારસ હોવાથી તેને લેવા માટે રાજકોટથી પિયુષભાઈ હકાભાઇ નગવાડિયા (૧૭) રહે. રેલનગર અને વિશાલભાઈ બાબુભાઈ પરમાર (૨૦) રહે. રેલનગર વાળા બાઇક લઈને મોરબી આવ્યા હતા અને ત્યારથી તે આજે સવારના સાડા ચાર થી પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી બાઇક લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાના ધ્રુવ નગર ગામ પાસે જીવા મામાની જગ્યાની સામેના ભાગમાં રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સન્ની અરવિંદભાઈ સુરેલા (૨૬) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે, પિયુષ અને વિશાલને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સિદ્દીકી દ્વારા કરવામાં આવી રહી હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ભીમ અગિયારસ હોવાથી સન્ની અરવિંદભાઈ સુરેલા તેનો પરિવાર રાજકોટ રહેતો હોય તેની દીકરી અને પરિવારજનોને મળવા માટે મોરબીથી પિયુષ અને વિશાલ સાથે બાઈકમાં રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થયો અને તેમાં સન્ની અરવિંદભાઈ સુરેલાનું મોત નિપયું છે






Latest News