મોરબીના લીલાપર ગામેથી યુવતી, ગોરખીજડિયા ગામેથી મહિલા ગુમ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતીભાઈ રાજકોડીયા લિખિત પાથેય પુસ્તકનું વિમોચન કરાયું મોરબી જલારામ મંદિરે ૪ જુલાઈએ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે સેવા ભારતી ગુજરાત સલગ્ન ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ મોરબી શાખા દ્વારા રૂકમણી સૌંદર્ય કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ ટંકારાના ઘુનડા (સ) ગામ નજીકથી કોપર વાયરની ચોરીના ગુનામાં એક આરોપી પકડાયો, 4 ની શોધખોળ: 82,600 નો મુદમાલ કબ્જે ખેડૂતો લડી લેવા મક્કમ: મોરબીના જેતપર ઉપવાસી છાવણીને વરસાદની આગાહીને રાખીને વોટરપ્રૂફ બનાવવાનું શરૂ હળવદના ધાંગધ્રા રોડ અને ટંકારના જબલપુર રોડ ઉપર જુદાજુદા બે અકસ્માતમાં બે યુવાનોને ઇજા થતાં સારવારમાં વાંકાનેરના રંગપર પાસે સામેથી આવેલ ટ્રક ચાલકે બોલેરોને ટક્કર મારતા યુવાનને બંને પગમાં ફ્રેક્ચર, પાંસળીમાં ગંભરી ઇજા
Breaking news
Morbi Today

મોરબીથી ભીમ અગિયારસે દીકરીને મળવા રાજકોટ જતાં યુવાનનું અકસ્માતમાં મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં


SHARE









મોરબીથી ભીમ અગિયારસે દીકરીને મળવા રાજકોટ જતાં યુવાનનું અકસ્માતમાં મોત: બે ઇજાગ્રસ્ત સારવારમાં

રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતો યુવાન મોરબીમાં કામ કરતો હતો અને ત્યાંથી આજે ભીમ અગિયારસના દિવસે પોતાની દીકરી અને પરિવારજનોને મળવા માટે રાજકોટ જતો હતો દરમિયાન ટંકારા તાલુકાના ધ્રુવ નગર ગામ પાસે રસ્તા ઉપર ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તે બાઈકમાં બેઠેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે ટંકારાની હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે રાજકોટના દૂધસાગર રોડ ઉપર રહેતા સન્નીભાઈ અરવિંદભાઈ સુરેલા (૨૬) નામનો યુવાન મોરબીમાં કામકાજ કરતો હતો અને આજે ભીમ અગિયારસ હોવાથી તેને લેવા માટે રાજકોટથી પિયુષભાઈ હકાભાઇ નગવાડિયા (૧૭) રહે. રેલનગર અને વિશાલભાઈ બાબુભાઈ પરમાર (૨૦) રહે. રેલનગર વાળા બાઇક લઈને મોરબી આવ્યા હતા અને ત્યારથી તે આજે સવારના સાડા ચાર થી પાંચ વાગ્યાના અરસામાં મોરબીથી બાઇક લઈને રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે ટંકારાના ધ્રુવ નગર ગામ પાસે જીવા મામાની જગ્યાની સામેના ભાગમાં રોડ ઉપરથી ત્રિપલ સવારી બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં સન્ની અરવિંદભાઈ સુરેલા (૨૬) નામના યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજ્યું હતું જોકે, પિયુષ અને વિશાલને ઇજાઓ થઇ હોવાથી તે બંનેને સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના સાહિદભાઈ સિદ્દીકી દ્વારા કરવામાં આવી રહી હોય તેઓની સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે આજે ભીમ અગિયારસ હોવાથી સન્ની અરવિંદભાઈ સુરેલા તેનો પરિવાર રાજકોટ રહેતો હોય તેની દીકરી અને પરિવારજનોને મળવા માટે મોરબીથી પિયુષ અને વિશાલ સાથે બાઈકમાં રાજકોટ તરફ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં અકસ્માત થયો અને તેમાં સન્ની અરવિંદભાઈ સુરેલાનું મોત નિપયું છે






Latest News