મોરબીના ઘૂટું ગામે વિશ્વ તમાકુ નિષેધ દિવસ રેલી-ચિત્ર સ્પર્ધા યોજાઇ
વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ
SHARE
વાંકાનેર આઇ.ટી.આઇ. ખાતે તમાકુ નિષેઘ દીવસે ગુરુ શીબીર યોજાઇ
મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત આઇ.ટી.આઇ. વાંકાનેર ખાતે ગુરુ શીબીર રાખવામાં આવેલ હતી જે શીબીરમાં બાળકોને તમાકુના વ્યસનથી થતી શારીરિક/માનસિક/આથિક અસરો વિશે તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ તથા આર.બી.એસ.કે. મેડીકલ ઓફીસર ડો. અનીલ પરમાર અને આઇ.ટી.આઇ. ના આચાર્ય માહંમદભાઇ રાઠોડ દ્વારા માહિતી આપવામાં આવી હતી આ કાર્યક્રમના અંતે આર.બી.એસ.કે. ડો. અનીલભાઇ પરમારએ તમાકુના દૂષણ વિષે શાળાના તમામ વિદ્યાર્થીને શારીરિક અને આર્થિક નુકશાની વિશે માહિતી આપી કુટુબના સભ્યોને તમાકુના દુષણથી મુકત કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા સ્કુલના આચાર્ય તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર માથકીયાભાઇ અને ડો. અનીલ પરમાર હાજર રહ્યા હતા