મોરબીમાં અગાઉ સાથે કામ કરતો શખ્સ સગીરાનું અપહરણ કરી ગયો હોવાનું ખુલ્યું
વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન
SHARE
વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન
વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે તા ૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાશે
આગામી શિક્ષણ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે કરાવવામાં આવશે. તો દરેકને વાલીએ પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિપીઠ ખાતે સમયસર લઈને આવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે આ તકે માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું છે અને પૂજાપો ગાયત્રી શક્તિપીઠ તરફથી આપવામાં આવશે. આ વિધિમા આવવાના હોય તે વાલીને ૯૨૬૫૦ ૬૬૦૯૬ અને ૯૮૨૫૧ ૨૦૯૭૮ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે