મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન


SHARE









વાંકાનેરમાં ગાયત્રી શક્તિપીઠ ખાતે સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન

વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા સમૂહ વિદ્યારંભ સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું છે અને વાંકાનેરમાં આવેલ ગાયત્રી શક્તિપીઠ વાંકાનેર ખાતે તા ૪ ને રવિવારના રોજ સવારે ૯ થી ૧૦:૩૦ કલાક સુધીમાં સમૂહ વિદ્યારંભ સંસ્કારનો કાર્યક્રમ યોજાશે

આગામી શિક્ષણ સત્રનો પ્રારંભ થવાનો છે ત્યારે પોતાના બાળકને ભણવા બેસાડતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓને માતા સરસ્વતી પૂજા તથા વિદ્યારંભની વિધિ વાંકાનેરમાં ગાયત્રી પરિવાર દ્વારા ગાયત્રી શક્તિપીઠ ખાતે કરાવવામાં આવશે. તો દરેકને વાલીએ પોતાના બાળકોને આ સંસ્કાર માટે શક્તિપીઠ ખાતે સમયસર લઈને આવવા માટે અનુરોધ કરવામાં આવેલ છે આ તકે માતા-પિતા અને બાળકે હાજર રહેવાનું છે અને પૂજાપો ગાયત્રી શક્તિપીઠ તરફથી આપવામાં આવશે. આ વિધિમા આવવાના હોય તે વાલીને ૯૨૬૫૦ ૬૬૦૯૬ અને ૯૮૨૫૧ ૨૦૯૭૮ નંબર પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે






Latest News