મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત


SHARE















મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક આવેલ કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત નિપજયુ હતું જેથી કરીને લોકો રોષે ભરાયા હતા અને વાહનમાં તોડફોડ કરીને કન્ટેનર યાર્ડને બંધ કરવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો ત્યાર બાદ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પડ્યો હતો

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ આવેલ છે અને તેની બાજુમાં રોહિદાસપરા આવેલ છે અને રોહિદાસપરાના રહેવાસી મોહનભાઇ મોતીભાઈ પરમાર (૫૦) નામના આધેડ કન્ટેનરની હડફેટે ચાલી ગયા હતા જેથી તેનું સ્થળ ઇપર જ મોત નીપજ્યું હતું. જેથી કરીને લોકો એકત્રિત થઈ ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ દસથી વધુ ટ્રકના કાચ તોડી નાખ્યા હતા અને લોકોએ કન્ટેનર ડેપોનો રોહિદાસપરામાંથી નીકળતો રસ્તો બંધ કરવાની માંગ કરી હતી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો






Latest News