મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત


SHARE













મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક આવેલ કન્ટેનર યાર્ડ પાસે કન્ટેનર હડફેટે આધેડનું મોત નિપજયુ હતું જેથી કરીને લોકો રોષે ભરાયા હતા અને વાહનમાં તોડફોડ કરીને કન્ટેનર યાર્ડને બંધ કરવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો ત્યાર બાદ રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પડ્યો હતો

મોરબીમાં રેલવે સ્ટેશન નજીક કન્ટેનર યાર્ડ આવેલ છે અને તેની બાજુમાં રોહિદાસપરા આવેલ છે અને રોહિદાસપરાના રહેવાસી મોહનભાઇ મોતીભાઈ પરમાર (૫૦) નામના આધેડ કન્ટેનરની હડફેટે ચાલી ગયા હતા જેથી તેનું સ્થળ ઇપર જ મોત નીપજ્યું હતું. જેથી કરીને લોકો એકત્રિત થઈ ગયા હતા અને રોષે ભરાયેલા લોકોએ દસથી વધુ ટ્રકના કાચ તોડી નાખ્યા હતા અને લોકોએ કન્ટેનર ડેપોનો રોહિદાસપરામાંથી નીકળતો રસ્તો બંધ કરવાની માંગ કરી હતી અને લાશ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો જો કે, રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે દોડી જઈને સમજાવટથી મામલો થાળે પડ્યો હતો






Latest News