વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી ટ્રકના ચોર ખાનામાં છુપાવેલ ૧૪૮ બોટલ દારૂ સાથે રાજકોટના બે શખ્સ ઝડપાયા
જનસંપર્ક અભિયાન અંતર્ગત યુપીના ૪ જીલ્લામાં પ્રબુધ્ધ નાગરિક બેઠક યોજતા કચ્છ સાંસદ વિનોદ ચાવડા
SHARE
જનસંપર્ક અભિયાન અંતર્ગત યુપીના ૪ જીલ્લામાં પ્રબુધ્ધ નાગરિક બેઠક યોજતા કચ્છ સાંસદ વિનોદ ચાવડા
નવા ભારતનાં ૯ વર્ષ સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણનાં વર્ષમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થયેલ કાર્યોને પ્રજા સમક્ષ મૂકવા મહા જન સંપર્ક અભિયાન દેશભરમાં ચાલી રહ્યું છે જેમાં ઉતરપ્રદેશનાં કાનપુર, અકબરપુર, ઝાંસી, જાલોન ચાર જીલ્લાની જવાબદારી કચ્છનાં સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપનાં મહામંત્રી વિનોદભાઈ ચાવડાને સોંપવામાં આવેલ છે.તે અંતર્ગત કાનપુર, જાલોન, અકબરપુર,લોકસભા ક્ષેત્રમાં સોશ્યલ મીડીયા ઇન્ફલુએંસર બેઠકમાં તા.૨ અને ૩ ના ભાગ લઈ પ્રેશવાર્તા કરી હતી. છેલ્લા ૯ વર્ષનાં વિકાસ અને ગરીબ કલ્યાણનાં કામો દર્શાવ્યા હતા, જાલોન લલીતપૂર લોકસભા ક્ષેત્રના ઉરઈમાં તેમજ કાનપુર પ્રબુધ્ધ નાગરિક સમેલન, આયોજીત બેઠકમાં ભાગ લીધો હતો. સમગ્ર કાર્યક્રમોમાં કાનપુર સાંસદ સત્યદેવ બહાદુર પાઠક તેમજ જાલૌન ભાનુ પ્રતાપસિંઘ વર્મા, ઉ.પ્ર. સરકાર રાજ્યમંત્રી ધર્મવીર પ્રજાપતિ, સર્વ બેબી રાની મૌર્યાજી, અનુરાગ વિશ્વનાથ શર્મા, મુકેશ મિશ્રાજી, જમુના પ્રસાદ કુશવાહજી, પ્રદીપ સરાવગીજ, મુલચંદ નિરંજનજી, રામેન્દ્રસિંહ બનાજી, સંજીવ ઋષિજી, રવિન્દ્ર શુક્લાજી,કેન્દ્રીય મંત્રી રાજકુમાર સિંઘ, સુનિલ પાઠકજી, ડો. વિના આર્યા પટેલ, અવિનાશ ચૌહાણ સહિત પાર્ટીના પદાધિકારીઓ સાથે રહ્યાં હતા.