મોરબીના વનાળીયા ગામ પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
SHARE
મોરબીના વનાળીયા ગામ પાસે નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત
મોરબી તાલુકાના વનાળીયા ગામે રહેતા યુવાન ગામ પાસે આવેલ નદીમાં ડૂબી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરેલ હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના વનાળીયા ગામે રહેતા રસિક મનસુખભાઈ કુનસીયા (૧૯) નામના યુવાનનો મૃતદેહ ગામની બાજુમાં આવેલ નદીમાંથી મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા કરી રહ્યા છે









