મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ
SHARE
મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ
મોરબી જિલ્લામાં માળિયા મીંયાણા વિસ્તારને પછાત ગણવામાં આવે છે અને સતત ઓરમાયુ વર્તન તેની સાથે કરવામાં આવતુ હોય તેવું જોવા મળે છે. દરમ્યાનમાં મોરબીના પ્રતિનિધિઓએ આગેવાનોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે માળિયા મિયાણાનું બસ સ્ટેશન નવું બનાવી આપવામાં આવે તેમજ નેશનલ હાઈવે-૮ થી માળિયા મામલતદાર કચેરી સુધીનો અને માળીયા-જામનગરનો હાઇવે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી.
વધુમાં જાણવા મળતી માહીતી મુજબ માળીયાના આગેવાનો અમદાવાદ મ્યુ.કાઉન્સિલર તથા મિંયાણા સમાજ પ્રદેશ પ્રમુખ અકબર હુસેન ભટ્ટી, માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સાથે મળીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમાં મોરબીના માળીયા મિંયાણાનું બસ સ્ટેન્ડ નવું બનાવવા અને નેશનલ હાઇવે નંબર-૮ થી માળીયા મામલતદાર કચેરી સુધીનો જામનગર હાઇવે રોડ નવો બનાવી આપવા રૂબરૂ મળીને રજુઆતો કરી હતી.