મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ


SHARE













મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ

મોરબી જિલ્લામાં માળિયા મીંયાણા વિસ્તારને પછાત ગણવામાં આવે છે અને સતત ઓરમાયુ વર્તન તેની સાથે કરવામાં આવતુ હોય તેવું જોવા મળે છે. દરમ્યાનમાં મોરબીના પ્રતિનિધિઓએ આગેવાનોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે માળિયા મિયાણાનું બસ સ્ટેશન નવું બનાવી આપવામાં આવે તેમજ નેશનલ હાઈવે-૮ થી માળિયા મામલતદાર કચેરી સુધીનો અને માળીયા-જામનગરનો હાઇવે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં જાણવા મળતી માહીતી મુજબ માળીયાના આગેવાનો અમદાવાદ મ્યુ.કાઉન્સિલર તથા મિંયાણા સમાજ પ્રદેશ પ્રમુખ અકબર હુસેન ભટ્ટી, માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સાથે મળીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમાં મોરબીના માળીયા મિંયાણાનું બસ સ્ટેન્ડ નવું બનાવવા અને નેશનલ હાઇવે નંબર-૮ થી માળીયા મામલતદાર કચેરી સુધીનો જામનગર હાઇવે રોડ નવો બનાવી આપવા રૂબરૂ મળીને રજુઆતો કરી હતી.






Latest News