રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ


SHARE









મોરબી : માળીયા(મિં.)નું બસ સ્ટેશન નવું બનાવવા તથા જામનગર હાઇવે બનાવવા માંગ

મોરબી જિલ્લામાં માળિયા મીંયાણા વિસ્તારને પછાત ગણવામાં આવે છે અને સતત ઓરમાયુ વર્તન તેની સાથે કરવામાં આવતુ હોય તેવું જોવા મળે છે. દરમ્યાનમાં મોરબીના પ્રતિનિધિઓએ આગેવાનોને સાથે રાખીને રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને મળીને રજૂઆત કરતા જણાવ્યુ હતુ કે માળિયા મિયાણાનું બસ સ્ટેશન નવું બનાવી આપવામાં આવે તેમજ નેશનલ હાઈવે-૮ થી માળિયા મામલતદાર કચેરી સુધીનો અને માળીયા-જામનગરનો હાઇવે બનાવી આપવામાં આવે તેવી માંગ કરી હતી.

વધુમાં જાણવા મળતી માહીતી મુજબ માળીયાના આગેવાનો અમદાવાદ મ્યુ.કાઉન્સિલર તથા મિંયાણા સમાજ પ્રદેશ પ્રમુખ અકબર હુસેન ભટ્ટી, માજી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાની સાથે મળીને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને મળ્યા હતા. જેમાં મોરબીના માળીયા મિંયાણાનું બસ સ્ટેન્ડ નવું બનાવવા અને નેશનલ હાઇવે નંબર-૮ થી માળીયા મામલતદાર કચેરી સુધીનો જામનગર હાઇવે રોડ નવો બનાવી આપવા રૂબરૂ મળીને રજુઆતો કરી હતી.






Latest News