રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

વાંકાનેરની માલધારી નેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી


SHARE









વાંકાનેરની માલધારી નેશ શાળામાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની નાની પણ રમ્ય એવી માલધારી નેશ પ્રાથમિક શાળામાં સાંસે હો રહી હૈ કમ,આઓ પેડ લગાયે હમ સૂત્રને સાર્થક કરવા ૫ મી જૂન ૨૦૨૩ વિશ્વ વન દિવસ નિમિત્તે બાળકો તેમજ સામાજિક વનીકરણ રેન્જ રાજકોટ દ્વારા ૫૧ એકાવન વૃક્ષો વાવીને વિશ્વ પર્યાવરણ દિનની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે શાળાના આચાર્ય અને અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ-વાંકાનેરના અધ્યક્ષ અશોકભાઈ સતાસિયાની નોકરીના ૩૨ બત્રીસ વર્ષ પૂર્ણ થયા હોય બત્રીસ વૃક્ષ વાવ્યા હતા એ આ વર્ષે તમામ ઉછેરી ગયા છે અને ખૂબ મોટા પણ થઈ ગયા છે આ પ્રસંગે અશોકભાઈ સતાસીયાએ જણાવ્યું હતું કે, લોકો વૃક્ષના મહત્વને સમજે,જાણે અને પર્યાવરણનું જતન કરતા થાય એ માટે ૫ મી જૂન ૧૯૭૩ થી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી થતી આવી છે એના ભાગરૂપે આજે શાળામાં ઉજવણી કરવામાં આવેલ છે,રેન્જ ફોરેસ્ટ ઓફિસર સાગરભાઈએ પણ ઉપસ્થિત તમામને પ્રેરણાત્મક વાતો કરી હતી, વૃક્ષોનું જતન કરનાર વિદ્યાર્થીઓને ઈનામો આપ્યા હતા. આ પ્રસંગે માલધારી નેશના વિસ્તારના આગેવાન અને એસએમસીના અધ્યક્ષ ગોવિંદભાઇ ફાંગલિયા ઉર્ફે નાનકાભાઈ તેમજ ગામના સરપંચ ગુલાભાઈ પરાસરાએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો,સમગ્ર કાર્યક્રમ માટે શાળા પરિવારે ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News