મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી કેમ્પનો ૨૯૮ દર્દીઓએ લાભ લીધો, ભંડારો યોજાયો
SHARE
મોરબી જલારામ મંદિર ખાતે યોજાયેલ નેત્રમણી કેમ્પનો ૨૯૮ દર્દીઓએ લાભ લીધો, ભંડારો યોજાયો
સમગ્ર ગુજરાત ની નંબર ૧ આંખ ની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની ૪ તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર મોરબી ખાતે યોજાઈ રહ્યો છે. જે અંતર્ગત ૨૯૮ દર્દીઓએ છેલ્લે યોજાયેલ કેમ્પનો લાભ લીધો હતો તે ઉપરાંત ૧૨૦ લોકોના નિ:શુલ્ક નેત્રમણી ઓપરેશન કરવા માં આવ્યા હતા. શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો. અલ્કેશભાઈ ખેરડીયા, હેમુભાઈ પરમાર, આદમભાઈ,નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવામા આવી હતી તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગર નુ સારા મા સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામા આવ્યા હતા આ કેમ્પ માટે સ્વ.બચીબેન ગોકળભાઈ (હ. નાથાભાઈ તથા રત્નેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર તરફથી આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો અને ત્યારે રામધન આશ્રમના મહંત ભાવેશ્વરી માતાજી, કથાકાર રત્નેશ્વરી બેન, નિરંજનદાસજી મહારાજ સહિતના હાજર રહ્યા હતા આ કેમ્પને સફળ બનાવવા ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, અનિલભાઈ સોમૈયા, જયેશભાઈ કંસારા, ચિરાગ રાચ્છ, અમિત પોપટ, નિર્મિતભાઈ કક્કડ સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી