મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર ગામની ખેતી જમીનની અપીલમાં આપ્યો દાખલારૂપ ચુકાદો


SHARE









મોરબીના પંચાસર ગામની ખેતી જમીનની અપીલમાં આપ્યો દાખલારૂપ ચુકાદો

મોરબી તાલુકાનાં પંચાસર ગામના બે ખાતેદારો દ્વારા ખેતીની સર્વે નાં.૧૦૯ ની જમીન બાબતે પ્રાંત અધિકારી સમક્ષ અપીલ કરી હતી જેમાં પ્રાંત અધિકારી બંન્ને અપીલો સંલગ્ન હોવાથી તે અપીલોમા પડેલ પુરાવાનુ યોગ્ય કાયદાકીય મુલ્યાંકન કરીને નોંધ નંબર ૨૯૦૯, ૨૯૦૯ રદ કરવા હુકમ કરેલ છે

મોરબી તાલુકાના પંચાસર ગામની સીમના રે.સ.નં. ૧૦૯ ની ખેતીની જમીનના ખાતેદાર કંચનબેન વાલજીભાઈ કાનાણી વિગેરેએ રેવન્યુ રેકર્ડમા ગે૨કાયદેસ૨ની નોંધ નાં. ૨૯૦૮ તથા ૨૯૦૯ રદ કરવા અને સ્વ.ઉજીબેન વેલાભાઈના વારસદારોની વારસાઈ નોંધ કરી આપવા સંબંધેની રેવન્યુ અપીલ નં.૨૧/૨૦૨૩ થી પ્રાંત અધિકારી મોરબીમા દાખલ કરેલ હતી તેના અનુસંધાને પંચાસર ગામના નરેશભાઈ વશરામભાઈ પટેલ વિગેરેએ સ.નં.૭૫૦ તે સ.નં. ૧૦૯ છે તેવી તકરાર લઈને સ.નં.૭૫૦ ને લગત ઉતરોતર નોંધ નં.૧૪૧૮, ૨૧૪૦, ૨૬૩૨ ૩૮૭૪,૫૧૮૮ મા રે.સ.નં.૭૫૦ લખાયેલ છે તેના બદલે ખરો અને સાચો સ.નં. ૧૦૯ છે તે મુજબ સુધારો કરવા અને તેનુ માપ એકર ૫-૦૫ ગુઠા મુજબનો સુધારો ક૨વા સબબની અપીલ તેઓએ કંચનબેન વાલજીભાઈ પટેલ સામે મોરબીની પ્રાંત કચેરીમાં અપીલ નં.૨૪ ૨૦૨૩ થી દાખલ કરેલ હતી જે બંન્ને અપીલો સંલગ્ન હોવાથી તે અપીલોમા પડેલ પુરાવાનુ યોગ્ય કાયદાકીય મુલ્યાંકન કરીને પ્રાંત અધીકારી મોરબીએ સ.નં. ૩૦૩૦ કાયમ રાખવા અને નોંધ નાં. ૨૯૦૯, ૨૯૦૯ રદ કરવા હુકમ કરી નરેશભાઈ વશરામભાઈ પટેલ વિગેરેની અપીલ નાં.૨૪ ૨૦૨૩ ની સમય મર્યાદાના મુદ્દે અને કાર્યક્ષેત્રના મુદ્દે રદ કરતો હુકમ કરેલ છે આ ઉપરોકત બંન્ને અપીલોના કામે કંચનબેન વાલજીભાઈ પટેલ તથા પંચાસર ગામના શીવજીભાઈ વેલાભાઈ કાનાણી વિગેરેના વકીલ તરીકે મોરબીના એડવોકેટ ભાવેશભાઈ ડી.ફુલતરીયા તથા રાજેશભાઈ જે. જોષી રોકાયેલા હતા.






Latest News