આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમ થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત !
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા કે ઊંડે કામદારોને ઉતારવા પર પ્રતિબંધ


SHARE













મોરબી જીલ્લામાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા કે ઊંડે કામદારોને ઉતારવા પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા, ઊંડે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.


મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ ખાનગી મિલ્કત/સોસાયટીઓ/ફલેટો/ રહેણાંક વસાહતો/ હોટલો/ રેસ્ટોરન્ટ/ હોસ્પીટલો/ પેઢીઓ/ શાળા/ કોલેજો/ હોસ્ટેલો વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર, ખાળકુવા, સેફટી ટેન્કમાં જમા થયેલ ગંદુપાણી કે કાદવ વગેરે બહાર કાઢવા માટે કે બંધ થયેલ લાઈન સાફ કે ચાલુ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ખાળકૂવા કે સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી.

આ અધિનીયમની જોગવાઈ અનુસાર આ પ્રકારે કોઈપણ ઈસમનું દુર્ઘટનામાં મૃત્યુ થયેથી જવાબદાર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત નામ.સુપ્રિમ કોર્ટના રીટ પિટિશન નં. ૫૮૩/૨૦૦૩ના તા.૨૭/૩/૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશ અનુસાર ૧૦.૦૦ લાખનું ભોગ બનનારને વળતર અને દંડ ભરવા કસૂરવાર થશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિંનતી છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌ સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવીએ તેવું  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 






Latest News