રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા કે ઊંડે કામદારોને ઉતારવા પર પ્રતિબંધ


SHARE









મોરબી જીલ્લામાં ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા કે ઊંડે કામદારોને ઉતારવા પર પ્રતિબંધ

કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબુદ કરવા સંદર્ભે ‘‘ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્ઝર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ-૨૦૧૩નો અમલ તા. ૧૯/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ભૂગર્ભ ગટર, ખાળકૂવા, સેફ્ટીટેન્ક કે એવી કોઈ જગ્યાએ સફાઇ કરાવવા, ઊંડે ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.


મોરબી જિલ્લા પંચાયત વિસ્તારમાં આવેલ તમામ ખાનગી મિલ્કત/સોસાયટીઓ/ફલેટો/ રહેણાંક વસાહતો/ હોટલો/ રેસ્ટોરન્ટ/ હોસ્પીટલો/ પેઢીઓ/ શાળા/ કોલેજો/ હોસ્ટેલો વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર, ખાળકુવા, સેફટી ટેન્કમાં જમા થયેલ ગંદુપાણી કે કાદવ વગેરે બહાર કાઢવા માટે કે બંધ થયેલ લાઈન સાફ કે ચાલુ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઇ કામદાર, શ્રમજીવી, વ્યક્તિને ખાળકૂવા કે સેફ્ટીટેન્કની સફાઇ કરાવવા ઊંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી.

આ અધિનીયમની જોગવાઈ અનુસાર આ પ્રકારે કોઈપણ ઈસમનું દુર્ઘટનામાં મૃત્યુ થયેથી જવાબદાર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત નામ.સુપ્રિમ કોર્ટના રીટ પિટિશન નં. ૫૮૩/૨૦૦૩ના તા.૨૭/૩/૨૦૧૪ના ચુકાદાથી આપેલ આદેશ અનુસાર ૧૦.૦૦ લાખનું ભોગ બનનારને વળતર અને દંડ ભરવા કસૂરવાર થશે. જેની જાહેર જનતાએ ખાસ નોંધ લેવા વિંનતી છે. કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટ્રીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી આપણે સૌ સાથે મળી ગેસ ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવીએ તેવું  જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીની યાદીમાં જણાવાયું છે.

 






Latest News