મોરબીમાં બાગાયત ખાતાની વિવિધ યોજનાઓની સહાય મેળવવા માટે ૧૦ દિવસમાં જરૂરી કાગળો રૂબરૂ જમા કરવવા જરૂરી
મોરબી અને ટંકારામાં રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વિતરણ
SHARE
મોરબી અને ટંકારામાં રવિવારે રાહતદરે નેચરલ વસ્તુઓનું વિતરણ
નવરંગ નેચરલ કલબ રાજકોટ દ્વારા રાહત ભાવે દરેક વસ્તુનું વિતરણ કરાશે.આગામી તા.૧૧ ને રવિવારે સવારે ૮ થી ૧ અહીંના શનાળા રોડ ઉમિયા સર્કલ પાસે સત્યેસ્વર મહાદેવ મંદિર પાસે થનાર વિતરણમાં ઈંગ્લિશ ગુલાબ, દેશી ગુલાબ, મોગરો, ચાંપો, ગલગોટા દરેક કલમી રોપા રાહત ભાવે મળશે. મજબૂત ટકાઉ હવા ઉજાસ વારા દોરીથી ગુથેલ ચકલીના માળા, કાળી માટીના વાસણ રસોઈ બનાવા માટે, હાથેથી બનાવેલ તાવડી-પાટીયા, ફુલ છોડના કુંડા દરેક જાતના ઓસડીયા, હાથે ખાંડેલા ચુર્ણ-પાવડર, સિંધા નકમ, શુધ્ધ મધ, ચોમાસું શાક-બકાલાના બીયારણ પેકેટ રાહત ભાવે, ઓર્ગેનિક ગાય આધારિત સજીવ ખેતીથી બનેલ જીરૂ, ધાણા, રાઈ, મેથી, ગૌમુત્રની ફીનાઈલ, ગાયની છાસ, શુધ્ધ સીંગ તેલથી બનેલ દરેક જાતના અથાણાં મળશે.તેમજ બપોરે બે વાગ્યા પછી ટંકારા મેઇન ઓવરબ્રિજ નીચે ઉપર મુજબની વસ્તુઓ રાહત ભાવે મળશે તેમજ સંસ્થાના પ્રમુખ વી.ડી.બાલા (મો.૯૪૨૭૫ ૬૩૮૯૮) અને લવજીભાઈ પ્રજાપતિ (મો.૯૯૨૫૩ ૬૯૪૬૫) એ યાદીમાં જણાવેલ છે.









