ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત મોરબીમાં મંગેતર સાથે રસોઇ બનાવવા બાબતે બોલાચાલી બાદ યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીમાં સંભવિત મહાપાલિકામાં ભળવા ધુનડા, વીરપર અને રાજપર ગામનો ઇનકાર


SHARE













મોરબીમાં સંભવિત મહાપાલિકામાં ભળવા ધુનડા, વીરપર અને રાજપર ગામનો ઇનકાર

મોરબી પાલિકાને મહાપાલિકા બનાવવા માટેની વિચારણા ચાલી રહી છે અને તેના માટે સરપંચો સાથે થોડા સમય પહેલા અધિકારી અને પદાધિકારીની મિટિંગ પણ મળી હતી ત્યારે સરપંચોએ ગ્રામસભાનો ઠરાવ કરીને જે નિર્ણય હશે તેની જાણ કરશે તેવું કહ્યું હતું ત્યારે મોરબી નજીકના ધુનડા (સ.), ટંકારના વીરપર અને મોરબીના રાજપર ગામ દ્વારા મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં આવવાનો સામૂહિક વિરોધ નોંધાવ્યો છે. અત્રે ઉલેખનીય છે કે, જુદાજુદા ગામોમાં ગ્રામસભા મળી હતી. જેમાં ગ્રામજનોએ ગામને મહાનગરપાલિકામાં ભેળવવા તથા મવડામાં ભેળવવા અંગે શું નિર્ણય કરવો તેનો અભિપ્રાય લેવામાં આવ્યો હતો અને ત્યારે ગામના લોકોએ મહાપાલિકામાં જવાનો વિરોધ નોંધાવ્યો હતો અને જે અંગેના ઠરાવની જાણ અધિકારી અને પદાધિકારીએ બંનેને કરી દેવામાં આવેલ છે






Latest News