મોરબીમાં ટીડીએસ રીફન્ડ માટે લાંચ લેનાર અધિકારીને ચાર વર્ષની સજા
SHARE
મોરબીમાં ટીડીએસ રીફન્ડ માટે લાંચ લેનાર અધિકારીને ચાર વર્ષની સજા
મોરબીની કોર્ટમાં લાંચિયા અધિકારી સામેનો કેસ ચાલી ગયો હતો જેમાં વર્ષ ૨૦૧૨ માં વીમા એજન્ટ તરીકે કામ કરતા મહિલાના ટીડીએસ રિફંડ માટે લાંચ માંગી હતી અને લાંચ લીધી હતી જેથી કરીને ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટની સામેનો કેસ મોરબીની કોર્ટેમાં ચાલી જતાં કોર્ટે આરોપીને ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમ અન્વયે ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે
વર્ષ ૨૦૧૨ માં મોરબીમાં બજાજ એલાયન્સમાં એજન્ટ તરીકે કામ કરતા પ્રજ્ઞાબેન નિલેશભાઈ સરસાવાડિયાને ટીડીએસ કપાતના રૂપિયા ૪૫,૪૮૦ રિફંડ લેવાના હતા જેના માટે બગથળા હેલ્થ સેન્ટરમાં ફાર્માસીસ્ટ તરીકે ફરજ બજાવતા તેમના પતિ નિલેશભાઈ સરસાવાડિયાએ ત્યારે મોરબી ખાતે હનુમાન ડેરી વાળી શેરીમાં આવેલ ઇન્કમટેક્સ ઓફિસમાં અરજી કરી હતી. જો કે, લાંબો સમય સધી ધક્કા ખાવા છતાં રિફંડની રકમ મળી ન હતી. અને બાદમાં ઇન્કમટેક્સ કચેરીના ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાએ રિફંડની રકમના પાંચ ટકા રકમ માંગી હતી ત્યાર બાદમાં ફરિયાદી નિલેશભાઈએ લાંચ માંગનાર ટેક્સ આસિસ્ટન્ટ મહેશકુમાર રઘુવીરસિંઘ મીણાને રૂપિયા ૫૦૦ આપી બાકીના નાણાં બાદમાં આપવાનું કહી એસીબીને ફરિયાદ કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું અને મહેશકુમારે ૧૫૦૦ ની લાંચ લેતા તેને રંગે હાથ ઝડપી લીધો હતો અને આ કેસ મોરબીના બીજા એડિશનલ સેસન્સ જજ વી.એ. બુદ્ધ સાહેબની કોર્ટમાં ચાલી જતા ૮ મૌખિક અને ૧૮ દસ્તાવેજી પુરાવા ધ્યાને લઈને તેમજ મદદનીશ સરકારી વકીલ સંજયભાઈ સી.દવેની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપી મહેશકુમાર મીણાને ભ્રષ્ટાચાર નિર્મૂલન અધિનિયમની જુદી જુદી કલમો હેઠળ ચાર વર્ષની સજા અને ૨૦ હજારનો દંડ ફટકાર્યો છે.