મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ


SHARE













મોરબીના ખેવરિયા, ખાખરાળા, વનાળિયા-માળીયાના મોટા દહીંસરાના ખેડૂતોએ કર્યો નવા હાઈવેનો વિરોધ

મોરબીથી નવલખી સુધીનો નવો નેશનલ હાઇવે બનાવવા માટે સરકાર દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે ત્યારથી જુદાજુદા ગામના ખેડૂતો અને આગેવાનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવામાં મોરબીના ખેવરિયા, ખાખરાળા અને વનાળિયા તેમજ માળીયાના મોટા દહીંસરા ગામના ખેડૂતોએ મોરબીના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું અને નવા નેશનલ હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાનોની ચીમકી ઉચ્ચારી છે વધુમાં ખેડૂતોએ જણાવ્યુ હતું એક નવલખી હાઇવે છે તો પછી આ વધારાના હાઈવેની શું જરૂર છે આ નવા હાઇવેમાં ખેડૂતોની જમીન કપાતમાં જશે તો ખેડૂતોની આજીવિકા છીનવાઈ જશે જેથી કરીને તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એક તરફ સરકાર ખેડૂતોના હામી હોવાનો દાવો કરે છે અને બીજી તરફ ખેતીની જમીન ઉપર તરાપ મારીને ખેડૂતોની રોજગારી ખતમ કરી રહી છે ત્યારે હાઇવે માટે ખેડૂતોની જમીન છીનવાઈ જશે તો વાવેતર ક્યાં કરશે ? તે સવાલ ઊભો થશે જેથી ખેડૂતોની જમીન કપાતમાં જશે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે






Latest News