મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ


SHARE















મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ

મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોપેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા કોળી વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દેરાળા ગામના રહેવાસી લક્ષ્મણભાઈ ટીડાભાઇ ગણેશિયા જાતે કોળી (ઉમર ૭૫) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સીએનજી પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ટ્રક નંબર આરજે ૬ જીસી ૦૯૭૨ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લક્ષ્મણભાઈ ગણેશિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ગણેશિયા જાતે કોળી (૫૦) રહે.શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અમીનાબેન ઈસ્માઈલભાઈ કોંઢીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર થયેલી મારામારીના બનાવમાં ઇજા થતા મનોજભાઈ નાગજીભાઈ ગોહેલ (ઉમર ૬૪) રહે.મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News