મોરબીના પીપળી રોડ અને લીલાપર રોડેથી સગીરાના અપહરણ કરનારાઓ પકડાયા, જેલ હવાલે મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા 19 અસહાય માતાઓને રાશન કીટ અર્પણ મોરબી સહિત ગુજરાતના પ્રાથમિક શિક્ષકોને શિક્ષણ સિવાય અનેકવિધ કામગીરીઓનું ભારણ વધી જતાં મુંઝવણ અને મુશ્કેલીમાં વધારો મોરબીમાં જેહાદી માનસિકતાના પુતળા દહન કરીને હિંદુ સંગઠનોએ આવેદનપત્ર પાઠવ્યું આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થામાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ


SHARE













મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ

મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોપેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા કોળી વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દેરાળા ગામના રહેવાસી લક્ષ્મણભાઈ ટીડાભાઇ ગણેશિયા જાતે કોળી (ઉમર ૭૫) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સીએનજી પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ટ્રક નંબર આરજે ૬ જીસી ૦૯૭૨ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લક્ષ્મણભાઈ ગણેશિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ગણેશિયા જાતે કોળી (૫૦) રહે.શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અમીનાબેન ઈસ્માઈલભાઈ કોંઢીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર થયેલી મારામારીના બનાવમાં ઇજા થતા મનોજભાઈ નાગજીભાઈ ગોહેલ (ઉમર ૬૪) રહે.મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News