મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ


SHARE







મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે અકસ્માત સર્જીને વૃદ્ધનું મોત નિપજાવનાર ટ્રક ચાલકની શોધખોળ ચાલુ

મોરબી નજીક આવેલ મહેન્દ્રનગર ચોકડી પાસે સીએનજીના પંપ પાસે વાહન અકસ્માતમાં બનાવ બન્યો હતો જેમાં મોપેડને ટ્રકના ચાલકે હડફેટે લેતા કોળી વૃદ્ધનું મોત નીપજ્યું હતું હાલમાં મૃતક વૃદ્ધના દીકરાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબીના દેરાળા ગામના રહેવાસી લક્ષ્મણભાઈ ટીડાભાઇ ગણેશિયા જાતે કોળી (ઉમર ૭૫) મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલી સીએનજી પંપ નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના મોપેડને ટ્રક નંબર આરજે ૬ જીસી ૦૯૭૨ ના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં લક્ષ્મણભાઈ ગણેશિયાને ગંભીર ઇજાઓ થઈ હોવાથી તેનું મોત નીપજ્યું હતું અને અકસ્માત મૃત્યુના આ બનાવમાં હાલમાં મૃતકના દીકરા ઘનશ્યામભાઈ લક્ષ્મણભાઈ ગણેશિયા જાતે કોળી (૫૦) રહે.શિવમ હોસ્પિટલ પાછળ મોરબી વાળાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વૃદ્ધા સારવારમાં

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં રહેતા અમીનાબેન ઈસ્માઈલભાઈ કોંઢીયા નામના ૮૧ વર્ષના વૃદ્ધા બાઈકના પાછળના ભાગે બેસીને જતા હતા ત્યારે અકસ્માતે તેઓ બાઈકમાંથી નીચે પડી જતા ઇજા પામતા તેમને સારવાર માટે અત્રે ખાનગી હોસ્પિટલે ખસેડાયા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વી.કે.ફુલતરીયા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમા ઈજા

મોરબીના લીલાપર રોડ ઉપર થયેલી મારામારીના બનાવમાં ઇજા થતા મનોજભાઈ નાગજીભાઈ ગોહેલ (ઉમર ૬૪) રહે.મોરબી વાળાને ઇજાઓ પહોંચતા તેમને અત્રેની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા






Latest News