કોરોના કાળમાં ડ્રોપ આઉટ થયેલ મોરબીનો સંજય ફરીથી અભ્યાસના પંથે, ધોરણ ૧૦ માં પ્રવેશ મેળવ્યો
આગામી તા.૨૨ એ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
SHARE
આગામી તા.૨૨ એ મોરબી ખાતે ઔદ્યોગિક ભરતીમેળો યોજાશે
રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા.૨૨-૬ ના રોજ સવારે ૧૧ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, આઇ.ટી.આઇ વાંકાનેર ખાતે, ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે.ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક, એસએસસી, એચએચસી, આઇટીઆઇ, સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીએ યાદીમાં જણાવ્યું છે.









