સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં મોરબીની નાલંદા વિદ્યાલય દ્વિતીયક્રમે
SHARE
સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં મોરબીની નાલંદા વિદ્યાલય દ્વિતીયક્રમે
ગુજરાત યુનિવર્સિટી ખાતે સંસ્કૃત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને સંસ્કૃત ભારતી ગુજરાતના સહયોગથી આષાઢષ્ય પ્રથમદિવસે સંસ્કૃતોત્સવ મહોત્સવ યોજાયો હતો જેમાં ગુજરાત સરકારના વર્તમાન મંત્રીમંડળ તેમજ સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી કુલપતિ, જુનાગઢ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ અને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ સહિતના હાજર રહ્યા હતા જેમાં દર વર્ષની જેમ સંસ્કૃત ગૌરવ પરીક્ષામાં બાળકોને સંસ્કૃત ભાષા માટે જાગૃત કરવા અને પ્રોત્સાહિત કરવામાં સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતમાં નાલંદા વિદ્યાલય દ્વિતીય ક્રમ મેળવેલ છે ત્યારે મંત્રી મુળુભાઈ બેરા તેમજ ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકરના વરદ હસ્તે સંસ્કૃત ભારતી અને સંસ્કૃત અકાદમી દ્વારા નાલંદા વિદ્યાલય-વિરપર, મોરબીના ડૉ.નીરવ રાવલ અને મેહુલભાઈ માણેકને સન્માનિત કરવામાં આવ્યા હતા. જે શાળા અને મોરબી માટે ગૌરવની ક્ષણ છે.









