હૈ તૈયાર હમ: મોરબી જિલ્લાના મતદાન મથકો ઉપર EVM સહિતની મશીનરી-સ્ટાફ રવાના, 225 મતદાન મથકો સંવેદનશીલ હળવદના ગોલસાણ ગામે ભત્રીજા-ભત્રીજીના લગ્ન પ્રસંગમાં સાળાના દીકરાને લેવા જઇ રહેલા યુવાનનું મોરબી નજીક માર્ગ અકસ્માતમાં મોત મોરબી મહાપાલિકા, તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ પાલિકાની ચૂંટણી માટે કાલે મતદાન: ૮૫૭ મતદાન મથકો ઉપર સ્ટાફ-મશીનરીની આજે ફાળવણી માળીયા (મી)માં અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનને છરીના ઘા ઝીકયા ટંકારાના ઓટાળા નજીક કાર ચાલકે માલવાહક વાહનને હડફેટે લેટ બાળક સહિત 3 વ્યક્તિને ઇજા: હળવદમાં કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માત ટંકારાના હડમતીયા ગામે મિત્રના લગ્ન પ્રસંગમાં ગયેલા યુવાનને જૂના ઝઘડાનો ખાર રાખીને મારી નાખવાની ધમકી મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા 3 શખ્સો પકડાયા મોરબીમાં ચૂંટણીના માહોલ વચ્ચે વિદેશી દારૂની જુદીજુદી ત્રણ રેડમાં 620 બોટલ દારૂ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત


SHARE













મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત

મોરબીના રાજવી પરિવારે લોકો માટે ઘણી મિલકતો આપી છે જે મિલકતોના નામ ન બદલવા અને તેને પાડવામા ન આવે તેના માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, આઝાદી પછી મોરબી સ્ટેટે ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જેવી કે એલ.ઇ. કોલેજ, નંદકુંવરબા ધર્મશાળા, નંદ કુંવરબા જનાના હોસ્પીટલ, મણીમંદિર, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ, વી.સી. હાઇસ્કૂલ, મીડલ સ્કૂલ, તા. શાળા સુરજબાગ, કેસરબાગ, ઝુલતો પુલ અને બાલ મંદિર વિગેરેનો સમાવેશ થાય છે ત્યારે એલ.ઇ. કોલેજના બિલ્ડિંગના બાંધકામ પાડીને નવું બનાવવાની તજવીજ ચાલે છે. ત્યારે રાજવી પરીવારે આપેલ ભાતીગળ ઇમારતોના નામ ભુસી નાખવાના પ્રયત્ન થઇ રહયા છે તેવો આક્ષેપ કરેલ છે

મોરબી સ્ટેશન પાસે ભવ્ય નંદકુંવરબા ધર્મશાળા હતી. તે તોડીને રેનબસેરા બનાવેલ છે. તેવી જ રીતે મહેન્દ્રસિંહજી હોસ્પીટલને ગાંધી ચોકમાં શિફ્ટ કરીને સીવીલ હોસ્પીટલ બનાવેલ છે આમ રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. ત્યારે આજે પણ મોરબીના વાઘજી બાપુના બાવલા પાસેથી આવતા જતા માણસો પગે લાગે છે અને માનતા કરે છે. મોરબીમાં ગમે ત્યારે આફત આવે પુર, હોનારત, ધરતીકંપ, ઝુલતા પુલની દુર્ઘટના હોય રાજવી પરીવાર પોતાની પ્રજા માટે દુઃખમાં ઉભા રહી મદદ કરે છે. અને તેનો રાજધર્મ નીભાવે છે. આટલા વર્ષો પછી પણ નિસ્વાર્થ ભાવે તેની પ્રજા એવુ ઇચ્છી રહી છે જે ઇમારતોના નામ હતા. તે જ રાખવા આવે જેમ કે, સીવીલ હોસ્પીટલને મહેન્દ્રસિંહજી હોસ્પીટલ તેમા જે જનાના હોસ્પીટલ છે તેનું નામ નંદકુંવરબા રાખવું અને જે રેઇન બસેરા બનાવેલ છે તેનું નામ નંદકુંવરબા રેઇન બસેરા રાખવું. જે પુલ બનેલ છે તેને મયુર બ્રીજ નામ આપવુ અને સુરજબાગ, કેસરબાગ જે બોર્ડ હતા તે ફરીથી મુકવામાં આવે તેવી માંગ કરી છે






Latest News