મોરબી શહેર-તાલુકામાં વાહન-ઘરફોડ ચોરી કરતી ગેંગનો એક સાગરીત પકડાયોએલ 3 ની શોધખોળ મોરબીની હોટલ-રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય કલર-વાસી ખોરાકનો નાશ કરતી મનપાની ફુડ શાખા મોરબીના લોકલાડીલા-લડાયક નેતા અને રાજય મંત્રી કાંતિભાઈ અમૃતિયાના દિર્ધાયું માટે શિવશક્તિ યજ્ઞ યોજાયો મોરબીમાં જતિન આડેસરાના હત્યા કરાઇ તે સ્થળ સુધી આજે સોની સમાજની કેન્ડલ માર્ચ સાથે મૌન રેલી યોજાઇ: આરોપીઓને આકરી સજાની માંગ મોરબીમાં જેટિંગ મશીનના ટ્રક ચાલકે ગટરનું ઢાકણું તોડી નાખતા વાહન ફસાઈ ગયું: જીવલેણ અકસ્માત પહેલા આડસ મુકવાની માંગ મોરબીના ટિંબડી પાટીયા પાસે વાહન અકસ્માતમાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત મોરબીના રાજપર ખાનપર રોડે પ્લાસ્ટિકના કારખાનામાં આગા લાગતાં 3 કરોડથી વધુનું નુકશાન મોરબીમાં ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો, 1.16 લાખનો મુદામાલ કબ્જે
Breaking news
Morbi Today

મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત


SHARE













મોરબીમાં રાજવી પરિવારે આપેલ ઐતિહાસિક મિલકતોની જાળવણી માટે મુખ્યમંત્રીને રજુઆત

મોરબીના રાજવી પરિવારે લોકો માટે ઘણી મિલકતો આપી છે જે મિલકતોના નામ ન બદલવા અને તેને પાડવામા ન આવે તેના માટે ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવી છે

મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાએ હાલમાં મુખ્યમંત્રીને રજૂઆત કરી છે જેમાં જણાવ્યું છે કે, આઝાદી પછી મોરબી સ્ટેટે ઘણી બધી ઇમારતો પ્રજાના હીત માટે આપેલ છે. જેવી કે એલ.ઇ. કોલેજ, નંદકુંવરબા ધર્મશાળા, નંદ કુંવરબા જનાના હોસ્પીટલ, મણીમંદિર, મહેન્દ્રસિંહજી હોસ્પીટલ, વી.સી. હાઇસ્કૂલ, મીડલ સ્કૂલ, તા. શાળા સુરજબાગ, કેસરબાગ, ઝુલતો પુલ અને બાલ મંદિર વિગેરેનો સમાવેશ થાય છે ત્યારે એલ.ઇ. કોલેજના બિલ્ડિંગના બાંધકામ પાડીને નવું બનાવવાની તજવીજ ચાલે છે. ત્યારે રાજવી પરીવારે આપેલ ભાતીગળ ઇમારતોના નામ ભુસી નાખવાના પ્રયત્ન થઇ રહયા છે તેવો આક્ષેપ કરેલ છે

મોરબી સ્ટેશન પાસે ભવ્ય નંદકુંવરબા ધર્મશાળા હતી. તે તોડીને રેનબસેરા બનાવેલ છે. તેવી જ રીતે મહેન્દ્રસિંહજી હોસ્પીટલને ગાંધી ચોકમાં શિફ્ટ કરીને સીવીલ હોસ્પીટલ બનાવેલ છે આમ રાજવી પરીવારે આપેલ ઇમારતોમાંથી નામ ભુસાતા જાય છે. ત્યારે આજે પણ મોરબીના વાઘજી બાપુના બાવલા પાસેથી આવતા જતા માણસો પગે લાગે છે અને માનતા કરે છે. મોરબીમાં ગમે ત્યારે આફત આવે પુર, હોનારત, ધરતીકંપ, ઝુલતા પુલની દુર્ઘટના હોય રાજવી પરીવાર પોતાની પ્રજા માટે દુઃખમાં ઉભા રહી મદદ કરે છે. અને તેનો રાજધર્મ નીભાવે છે. આટલા વર્ષો પછી પણ નિસ્વાર્થ ભાવે તેની પ્રજા એવુ ઇચ્છી રહી છે જે ઇમારતોના નામ હતા. તે જ રાખવા આવે જેમ કે, સીવીલ હોસ્પીટલને મહેન્દ્રસિંહજી હોસ્પીટલ તેમા જે જનાના હોસ્પીટલ છે તેનું નામ નંદકુંવરબા રાખવું અને જે રેઇન બસેરા બનાવેલ છે તેનું નામ નંદકુંવરબા રેઇન બસેરા રાખવું. જે પુલ બનેલ છે તેને મયુર બ્રીજ નામ આપવુ અને સુરજબાગ, કેસરબાગ જે બોર્ડ હતા તે ફરીથી મુકવામાં આવે તેવી માંગ કરી છે








Latest News