મોરબીના ડૉ. મનીષ સનારિયાએ આંતરરાષ્ટ્રીય તાલીમ પૂર્ણ કરી શહેરનું ગૌરવ વધાર્યું મોરબી : વિમેદારને ડાયાબિટીસ છે તેમ કહીને વીમો ન ચૂકવનાર વીમા કંપનીને રકમ વ્યાજ સહિત ચૂકવવા આદેશ મોરબીના રેલવે સ્ટેશન રોડ ઉપર વૃક્ષ તૂટીને કાર ઉપર પડ્યું: આવાસ યોજનામાં પાણીની ટાંકી ઊડી  મોરબી નવયુગ નર્સિંગ કોલેજમાં ‘ઓથ સેરેમની–૨૦૨૬’ ની ઉજવણી કરાઇ મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે કતલખાને લઈ જવાતા 3 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા મોરબીના આલાપ પાર્કથી એસ.પી. રોડ સુધી રોડ રીપેરિંગ-દબાણ દૂર કરવા કમીશ્નરને કરાઇ રજુઆત મોરબીના ચાવડા પરિવારે દીકરી વ્હાલના દરિયારૂપે પુત્રી રત્નના જન્મને ફૂલડે વધાવ્યો મોરબી જિલ્લામાં ઉપડેલા ભારે પવનના કારણે સીરામીકના અનેક કારખાનાઓની અંદર પતરાં તૂટી ગયા, કારખાનેદારોને મોટું નુકસાન
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત


SHARE













હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મિયાણી ગામે રહેતા પ્રેમી યુગલે ટિકર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાણીમાંથી પ્રેમી યુગલની બોડી મળી આવતા તેને હળવદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતી સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા જાતે કોળી (૧૮) અને મિયાણી ગામે રહેતા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા જાતે કોળી (૨૨) વચ્ચે પ્રેમ સબંધ હતો અને આ પ્રેમી યુગલ રાત્રી સમયે ગુમ થઈ ગયું હતું અને તે બંનેને તેના પરિવારજનો શોધી રહ્યા હતા તેવામાં મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી યુવકનો મોબાઇલ, ચપ્પલ અને બાઈક મળી આવ્યું હતું જેથી કરીને પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને કેનાલમાંથી તે બંનેની બોડી મળી આવી હતી જેથી કરીને સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા અને અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયાની ડેડબોડીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 




Latest News