મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત


SHARE







હળવદના મિયાણી ગામના પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવીને સજોડે કર્યો આપઘાત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મિયાણી ગામે રહેતા પ્રેમી યુગલે ટિકર ગામ પાસેથી પસાર થતી નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યું હતું જેથી કરીને તેની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ત્યાર બાદ પાણીમાંથી પ્રેમી યુગલની બોડી મળી આવતા તેને હળવદ સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મિયાણી ગામે રહેતી સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા જાતે કોળી (૧૮) અને મિયાણી ગામે રહેતા અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયા જાતે કોળી (૨૨) વચ્ચે પ્રેમ સબંધ હતો અને આ પ્રેમી યુગલ રાત્રી સમયે ગુમ થઈ ગયું હતું અને તે બંનેને તેના પરિવારજનો શોધી રહ્યા હતા તેવામાં મિયાણી અને ટીકર વચ્ચે પસાર થતી નર્મદા કેનાલ કાંઠેથી યુવકનો મોબાઇલ, ચપ્પલ અને બાઈક મળી આવ્યું હતું જેથી કરીને પ્રેમી યુગલે કેનાલમાં ઝંપલાવ્યું હોવાની શંકાને આધારે તરવૈયાઓની મદદ લેવામાં આવી હતી અને કેનાલમાંથી તે બંનેની બોડી મળી આવી હતી જેથી કરીને સીધ્ધીબેન નીતીનભાઇ કુરીયા અને અજયભાઇ મનસુખભાઇ ઝીંઝુવાડીયાની ડેડબોડીને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને બનાવની હળવદ તાલુકા પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે 






Latest News