હાઈ એલર્ટ: શનિવારે વહેલી સવારે ૪ વાગ્યે મચ્છુ-૨ ડેમના દરવાજા ખોલીને નદીમાં ૪૯૦૦૦ ક્યુસેક પાણી છોડશે મોરબીનો ઘોડાધ્રોઈ ડેમ 100 ટકા ભરાઈ જતા 2 દરવાજા 3 ફૂટ ખોલ્યા ભારે વરસાદની અગમચેતીના ભાગરૂપે આવતીકાલે મોરબી જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રહેશે: વિદ્યાર્થીઓ માટે રજા જાહેર યુ ટર્ન: મોરબીના વોર્ડ નં-2 માં ચોમાસા પછી પ્રાથમિક સુવિધાના કામ નહિ થાય તો હું રાજીનામું આપીશ: કોર્પોરેટર સીતાબેન હુંબલ મોરબી જીલ્લામાં 3 કોઝવે ઉપર પાણી આવી જવાથી અને 1 ડાયવર્ઝન ધોવાઈ જતાં રસ્તાઓને બંધ કરાયા મોરબી જીલ્લામાં વરસાદી પાણીનો નિકાલ સહિતની બાબતોને લઈને કલેક્ટરની અધિકારીઓએ સાથે બેઠક યોજાઈ મોરબીનો મચ્છુ-3 ડેમ 100 ટકા ભરાયો: 2 દરવાજા 1 ફૂટ  ખોલ્યા: 2 તાલુકાના 21 ગામોને એલર્ટ કરાયા વાંકાનેરમાં નેશનલ હાઈવે અને સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહનોની અવરજવર બંધ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનારા શખ્સને કડક સજાની હિન્દુ સમાજની માંગ


SHARE







વાંકાનેરમાં સગીરાનું અપહરણ કરીને અડપલાં કરનારા શખ્સને કડક સજાની હિન્દુ સમાજની માંગ

વાંકાનેરમાં હિન્દુ સગીરાનું અપહરણ કરીને તેની સાથે અડપલા કરવામાં આવ્યા હતા જેથી કરીને ભોગ બનેલ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી લીધી હતી જો કે, આ આરોપીની સામે કડક કાર્યવાહી કરવા માટે બ્રહ્મ સમાજ, કરણી સેના, હિન્દુ વાહિની સહિતના હિન્દુ સંગઠનોએ વાંકાનેર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું ત્યારે મોટી સંખ્યામાં લોકો ત્યાં હજાર રહ્યા હતા આ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ શખ્સને કાયદાનું એવું ભાન કરાવવામાં આવે કે બીજા કોઈ આવી હરકત કરવાનું વિચારે પણ નહીં તેવી માંગ આગેવાનો દ્વારા કરવામાં આવી છે વધુમાં હિન્દુ યુવા વાહિનીના અધ્યક્ષ કે.બી. બોરીચાએ જણાવ્યું હતું કે, મુસ્લિમ શખ્સ દ્વારા હિન્દુ સગીરાનું અપહરણ કરીને અડપલાં કરવામાં આવ્યા હતા તેમજ તે સગીરાનો હાથ પકડવા, નમાજ પઢાવવા સહિતનું દબાણ આ શખ્સ દ્વારા કરવામાં આવ્યું હોવાનું સામે આવેલ છે ત્યારે આરોપી સામે આકરા પગલાં લેવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે






Latest News