મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના કોયલી ગામની સીમમાં વાડીએ મહિલાએ અંતિમ પગલું ભર્યું: બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી


SHARE











મોરબીના કોયલી ગામની સીમમાં વાડીએ મહિલાએ અંતિમ પગલું ભર્યું: બે બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી

મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં વાડીએ રહીને મજૂરીકામ કરતી આદિવાસી મહિલાએ કોઈ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને બેભાન હાલતમાં મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સિવિલ હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક મહિલાએ કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના કોયલી કૃષ્ણનગર ગામની સીમમાં પ્રવીણભાઈ કાનાભાઈ પટેલની વાડીએ રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા શ્યામભાઈ આદિવાસીના પત્ની સુમનબેન (૨૨)એ વાડીએ હતા ત્યારે કોઈ પણ કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે મહિલાને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરી હતી અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે મૃતક મહિલાનો લગ્ન ગાળો પાંચ વર્ષનો હતો અને તેને સંતાનમાં બે દીકરા હતા જોકે તેને કયા કારણોસર ઝેરી દવા પીને મહિલાએ આપઘાત કરેલ છે તે દિશામાં હાલમાં પોલીસ તપાસ કરી રહી છે અને મહિલાએ આપઘાત કરી લેતા તેના બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે

વરલી જુગાર

વાંકાનેર શહેરમાં આવેલ મિલ પ્લોટ ચોક પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા યુનુસભાઈ અભરામભાઇ હાલા જાતે સંધિ (૪૬) રહે. મિલ પ્લોટ ફારુકી મસ્જિદ પાસે વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે તેની પાસેથી ૮૫૦ રૂપિયાની રોકડ કબજે કરી જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News