મોરબીની માધાપર વાડી સહિતની શાળાઓમાં બાલવાટિકાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ
મોરબીમાં નિવૃતી પછી પણ નિયમિત શાળાએ બાળકોને ભણાવતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી
SHARE
મોરબીમાં નિવૃતી પછી પણ નિયમિત શાળાએ બાળકોને ભણાવતા શિક્ષક દેવકરણભાઈ સુરાણી
મોરબીના દેવકરણભાઈ સુરાણી નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે સામાન્ય રીતે એવું કહેવાય છે કે, “શિક્ષક કભી સાધારણ નહિ હોતા, પ્રલય ઓર નિર્માણ ઉસ કી ગોદ મે ખેલતે હૈ” આ ઉક્તિને તેઓ સાર્થક કરી રહ્યા છે. વાત જાણે એમ છે કે મોરબીમાં શનાળા રોડ પર આવેલ પી.જી. ક્લોક સોસાયટીની પાછળ આંબાવાડી પ્રાથમિક શાળા આવેલી છે આ શાળામાં હાલ ૨૩૭ વિદ્યાર્થીઓ છે અને માત્ર ત્રણ શિક્ષકો જ કામ કરે છે. જેના કારણે બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી જતા હતા આ બાબત નિવૃત શિક્ષક દેવકરણભાઈ સુરાણીના ધ્યાન પર આવી હતી અને તેઓ છેલ્લા દશેક મહિનાથી આ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણ કાર્ય કરાવે છે.નવાઈ અને ગૌરવની વાત તો એ છે કે તેઓ પોતાના ફરજ કાળમાં ક્યારેય આ શાળામાં ફરજ બજાવી નથી એમને પોતાની મોટા ભાગની ફરજ શકત શનાળા ગામે બજાવી હતી છેલ્લે હરિપર ગામે નિવૃત્ત થયા હતા આમ આંબાવાડી શાળા સાથે એમને ફરજનો કોઈ નાતો ન હોવા છતાં શિક્ષકના અભાવે વિદ્યાર્થીઓના બગડતા શિક્ષણથી એમને દુઃખ થયું અને છેલ્લા પાંચ વર્ષથી નિવૃત થયા હોવા છતાં નિવૃત્તિ બાદ પણ ચોક પકડીને પ્રવૃતિશીલ બન્યા, દેવકરણભાઈ સુરાણી સાથે જેમને વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત કરી હતી અને અને એમના વર્ગ કાર્યને નિહાળ્યું હતી અને તેમની સેવાને બિરદાવી હતી