મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુનામાં આરોપીની ધરપકડ મોરબીના જુદાજુદા ગામોમાં સીમા જાગરણ મંચ સહિતની 3 સંસ્થા દ્વારા મેડિકલ કેમ્પ યોજાયા હળવદના કેદારીયા ગામ નજીકથી દારૂની 324 બોટલ સાથે બે શખ્સ પકડાયા: 1.51 લાખનો મુદામાલ કબ્જે ટીબી હારેગા ભારત જીતેગા: લાયન્સ ક્લબ ઑફ મોરબી સિટી દ્વારા કાર્યક્રમ યોજાયો માળીયા (મી) નજીકથી ચકમો આપીને 38 અબોલજીવ ભરેલ આઇસર અમદાવાદ લઈને જઈ રહેલા વાહન ચાલકને ધાંગધ્રા નજીકથી ગૌરક્ષકોએ પકડ્યો મોરબીમાં પરશુરામ જયંતી નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાશે મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ
Breaking news
Morbi Today

મોરબીની માધાપર વાડી સહિતની શાળાઓમાં બાલવાટિકાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ


SHARE













મોરબીની માધાપર વાડી સહિતની શાળાઓમાં બાલવાટિકાના બાળકોને સ્કૂલ બેગ અર્પણ

રબીના લોકો દાન આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતા. એમાંય શાળા માટે દાન આપવા માટે લોકો હંમેશા તત્પર હોય છે, બૂટાવાડીના ભુરજીભાઈ પરમાર દર વર્ષે શાળાના બાળકોને પ્રવેશોત્સવ નિમિત્તે પ્રવેશ પાત્ર બાળકોને પોતાના રળેલા રૂપિયામાંથી સ્કૂલબેગ અર્પણ કરતા હોય છે. ત્યારે આ વર્ષે ભુરજીભાઈએ વજેપરવાડી, માધાપરવાડી, બુટાવાડી બોરીયાપાટી, સભારાવાડી, તેજાણીવાડી વગેરે પ્રાથમિક શાળાના પ્રવેશપાત્ર ૨૦૦ જેટલા બાળકોને સ્કૂલ બેગ અર્પણ કરીને બાલ દેવો ભવ:ની ઉક્તિને સાર્થક કરેલ છે. ચાલુ વર્ષે બીપરજોય વાવાઝોડાના કારણે કન્યા કેળવણી મહોત્સવ અને પ્રવેશોત્સવ મોકૂફ રહેતા શાળા કક્ષાએ પ્રવેશોત્સવની ઉજવણી કરી બાલવાટીકા અને પહેલા ધોરણમાં પ્રવેશ પામેલ બાળકોને સ્કૂલબેગ અર્પણ કરવામાં આવેલ અને બંને શાળાના આચાર્ય દિનેશભાઈ વડસોલા અને તુષારભાઈ બોપલીયા તેમજ એસ.એમ.સી.ના અધ્યક્ષ કાળુભાઈ વી.પરમારે દાતા ભુરજીભાઈ પરમારનું સાલ ઓઢાડી સન્માન કર્યું હતું.






Latest News