મોરબીમાં રાધે કોલ એન્ટરપ્રાઇઝ નામની ઓફિસમાં જુગાર રમતા આપ અને કોંગ્રેસના આગેવાન સહિત 4 પકડાયા: 5.24 લાખનો મુદ્દામાલ કબજે મોરબીના ખરેડા ગામેથી યુવતી ગુમ, પોલીસ તપાસ ચાલુ મોરબીના મહેન્દ્રનગર ગામે બસ સ્ટેશન અને ચોકડી સર્કલ બનાવવા જિલ્લા કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખે કરી રજૂઆત મોરબી જિલ્લાના કાર્યકર્તાઓને વિહિપ સૌરાષ્ટ્ર પ્રાંતની બેઠકમાં નવી જવાબદારીઓ સોંપાઈ મોરબીની પરબજારમાં દુકાન ઉપરથી જૂના બંધકામનો ભાગ તૂટી પડ્યો માળીયા (મીં)-મોરબી પંથકમાં અતિવૃસ્ટીના અસરગ્રસ્તોની વ્હારે આવતી જયદીપ એન્ડ કંપની ટ્રેડિંગ કમ્યુનિટી મીડિયેટર્સની ટીમમાં મોરબી જિલ્લામાંથી સિરામિક એસો.ના પ્રમુખ સંદીપ કુંડારિયા સહિત બેનો સમાવેશ મોરબી મહાપાલિકામાં ફરજ બજાવતા મહેશભાઈ મહેતાનો નિવૃતિ વિદાય સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું


SHARE







મોરબીના રંગપર ગામેથી ગુમ થયેલ યુવાન નવસારી જિલ્લામાંથી મળ્યો: પ્રેમપ્રકરણ ખૂલ્યું

મોરબીના રંગપર ગામના યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હતો જેથી તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો અને તેની કોઈ જગ્યાએથી તેનો પત્તો નહીં લગતા આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે યુવાનને શોધવા માટેની કવાયત શરૂ કરી હતી અને હાલમાં તે નવસારી જિલ્લાના ખેર ગામેથી મળી આવ્યો છે અને યુવાન પુખ્ત ન હોવાથી તેના લગ્ન થી શકે તેમ ન હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામમાં રહેતા દિનેશભાઈ સાગઠીયાનો (૧૯) વર્ષનો દીકરો રોનક ગત તા. ૨૨/૬ ના રોજથી પોતાના ઘરેથી ગુમ થયો હતો અને તેને શોધવા માટે કવાયત કરતા હતા જોકે તેને કોઈ જગ્યાએથી ભાળ ન મળતા આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ પોલીસ દ્વારા પણ યુવાનને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી હતી અને આ યુવાને હાલમાં નવસારી જિલ્લાના ખેરગામેથી મળી આવ્યો છે વધુમાં આ બનાવવાની તપાસ કરી રહેલા ફિરોજભાઈ સુમરા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે યુવાનને ધાંગધ્રા તાલુકાની યુવતી સાથે પ્રેમ સંબંધ હોય તે પોતાના ઘરેથી ચાલ્યો ગયો હતો જો કે, તે પુખ્ત ન હોવાથી લગ્ન થઈ શકે તેમ ન હતું

મારામારીમાં ઇજા
મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ લક્ષ્મીનગર ગામના પાટીયા પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં લક્ષ્મીનગર ગામે રહેતા ભગવાનજીભાઈ કાનજીભાઈ ભંખોડીયા (૩૮) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના મનીષભાઈ બારૈયા ચલાવી રહ્યા છે

અકસ્માતમાં ઇજા
મોરબીની રવીરાજ ચોકડી પાસે આવેલ ભરડીયામાં કામગીરી દરમિયાન ત્યાં સ્ટાફ કવાર્ટરમાં રહેતા અને કામ કરતાં મુકેશભાઈ નારણભાઈ મહેતા (૩૧) નામના યુવાનને મોઢાના ભાગે ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવાની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News