મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?


SHARE













હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામની આસપાસના વિસ્તારમાં નવી ઘણી સોસાયટી બનેલ છે ત્યારે નવી મિલકતોના વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવી રજૂઆત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મળી હતી જેથી કરીને ધારાસભ્ય દ્વારા ડીડીઓને પત્ર લખીને યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી છે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ચૂંટાયેલ બોડી હાલમાં નથી જેથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની રજૂઆત જુદીજુદી સોસાયટીના લોકો દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, નવી સોસાયટીની મિલક્તોને વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાની ફી ૨૧૦૦ રૂપિયા છે ને પહોંચ પણ ૨૧૦૦ ની જ આપવામાં આવે છે જો કે, રૂપિયા ૨૫૦૦ આપવા પડે છે આમ એક મિલકતે ૪૦૦ રૂપિયા વધુ લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પંચાયતના તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરેલ છે તેના આધારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીના ડીડીઓને લેખિત પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે






Latest News