મોરબી જિલ્લા ભાજપ કમલમ કાર્યાલય ખાતે પ્રભારી મંત્રી અને રાજ્ય મંત્રીની હાજરીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું મોરબીમાં શનાળાના શક્તિ માતાના મંદિરે પ્રભારી મંત્રી-રાજ્યમંત્રીએ સ્વચ્છતા માટે કર્યું શ્રમદાન મોરબીમાંથી યુવતી ગુમ, પોલીસને જાણ કરાતા તપાસ શરૂ મોરબીમાં ખેડૂતો માટે અવાજ ઉઠાવતા મને જૂના કેસમાં પોલીસની નોટિસ મળી: પંકજ રાણસરીયા મોરબીમાં ૧૫૦ પેટી દારૂના ગુનામાં પકડાયેલ આરોપીનો જામીન ઉપર છુટકારો હળવદના કોયબા ગામ પાસે રબ્બરની ફેક્ટરીમાં લાગેલી આગ કાબુમાં: કુલિંગ માટે હજુ પણ પાણીનો મારો ચાલુ હળવદના ખેતરડી ગામે દારૂની રેડ: 2700 લીટર આથો-50 લિટર દેશી દારૂ કબ્જે, આરોપીની શોધખોળ મોરબીમાં કાર ચાલકે બુલેટને હડફેટે લેતા ઇજા પામેલ યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?


SHARE











હદ કરી નાખી !: મોરબીના મહેન્દ્રનગર ગામે વેરા રજિસ્ટરમાં નામ ચડાવવામાં ભ્રષ્ટાચાર ?

મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામની આસપાસના વિસ્તારમાં નવી ઘણી સોસાયટી બનેલ છે ત્યારે નવી મિલકતોના વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવી રજૂઆત ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મળી હતી જેથી કરીને ધારાસભ્ય દ્વારા ડીડીઓને પત્ર લખીને યોગ્ય તપાસ કરવા માટેની માંગ કરી છે
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે ચૂંટાયેલ બોડી હાલમાં નથી જેથી વહીવટદાર શાસન ચાલી રહ્યું છે. ત્યારે ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી દ્વારા ચાલતા ભ્રષ્ટાચારની રજૂઆત જુદીજુદી સોસાયટીના લોકો દ્વારા ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને કરવામાં આવી હતી જેમાં જણાવ્યું હતું કે, નવી સોસાયટીની મિલક્તોને વેરા રજિસ્ટરમાં નામ ચડાવવાની ફી ૨૧૦૦ રૂપિયા છે ને પહોંચ પણ ૨૧૦૦ ની જ આપવામાં આવે છે જો કે, રૂપિયા ૨૫૦૦ આપવા પડે છે આમ એક મિલકતે ૪૦૦ રૂપિયા વધુ લઈને ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે જેથી કરીને પંચાયતના તલાટી કમ મંત્રી સામે કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનોએ રજૂઆત કરેલ છે તેના આધારે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ મોરબીના ડીડીઓને લેખિત પત્ર લખીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરેલ છે






Latest News