મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન
મોરબી ખાતે સોનાલધામ અને ચારણસમાજ વાડીનું નવનિર્માણ કરાયુ
SHARE
મોરબી ખાતે સોનાલધામ અને ચારણસમાજ વાડીનું નવનિર્માણ કરાયુ
શ્રી ચારણ ગઢવી સમાજ મોરબી અને યુવા ટીમ દ્વારા મોરબી ખાતે આઈશ્રી સોનલમાઁના મંદિર તેમજ સમાજ વાડીનું નિર્માણ કરવામાં આવ્યું છે.ત્યારે દાતાઓ અને કાર્યકરોની ટીમ દ્વારા આ કપરું કાર્ય ટૂંકા સમયની અંદર પાર પાડવામાં આવ્યું છે ત્યારે શ્રી ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટ દ્વારા મોરબી ચારણ ગઢવી સમાજને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.ઉપરાંત સોનલ માતાના મંદિર તથા સમાજવાડીના નિર્માણ કરવા માટે યુવા ટીમનું સન્માન કરવામાં આવ્યું હતુ.મોરબી ખાતે ખૂબ જ ટૂંકા સમયમાં મોરબી ચારણ ગઢવી યુવા ટીમ દ્વારા પરમ પૂજ્ય આઈશ્રી સોનલમાઁના ભવ્ય મંદિર અને સમાજવાડીનું નિર્માણ કરવામાં આવેલ છે.જેમાં આ ટીમના કાર્યકરો દ્વારા ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપવામાં આવ્યુ છે.ખુબ જ ટુંકા સમયમાં કામ પાર પાડવામાં આવ્યું હોય અને આવનાર પેઢીને એક નવી દિશા આપી છે ત્યારે શ્રી ચારણ ગઢવી સમાજ સેવા ટ્રસ્ટ રાજકોટના ટ્રસ્ટીઓ દ્વારા મોરબીની આ યુવા ટીમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું