મોરબીના તખતસિંહજી રોડે ભરાતા વરસાદી પાણીનો પ્રશ્ન ઉકેલવા વેપારીઓની પાલિકામાં રજૂઆત
મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન
SHARE
મોરબીના હાર્દસમાન વિસ્તારો સહીતના છેવાડાના વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાથી લોકો હેરાન
મોરબીનો હાર્દ સમો વિસ્તાર એટલે સોમનાથ સોસાયટી સરદારબાગ પાછળ જ્યા જરાક વરસાદનું ઝાપટુ આવે અને પાણી ભરાઇ જાય છે.જ્યા આ વરસાદનું પાણી સુકાવાનું નામ ન લે અને ગંદકી તો રહે જ છે પણ મચ્છર અને જીવાતનો ઉપદ્રવ થાય છે અને માંદગીનો ડર રહે છે અને બાળકો બહાર રમી ન શકે, ન વડીલો વોક કરી શકે, બહાર નિકળો એટલે પૂરઝડપે આવતા વાહનો કપડા બગાડી નાંખે છે.ગલીમાં અંધકાર પણ એટલો જ લાઇટો છેલ્લા કેટલા દિવસથી બંધ છે.તે રીતે જ મોરબીના છેવાડાના વિસ્તારોની હાલત શું હશે તે વિચારી શકાય તેમ છે.જ્યાં અંધારાપટની સાથેસાથે ખુલ્લી ભૂગર્ભ ગટરો જોવા મળે છે.તેમજ વરસાદી પાણી ભરાવાની સમસ્યાઓ પણ એટલી જ જોવા મળી રહી છે.તેનો રસ્તો શું તેવો સવાલ મોરબીવાસીઓ કરી રહ્યા છે









