મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં યુવાન માર મારનારા દંપતીની ધરપકડ


SHARE











મોરબીના ઉમિયાનગરમાં યુવાન માર મારનારા દંપતીની ધરપકડ

મોરબીના ઉમિયાનગરમાંથી યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે શેરીમાં પડે લાકડા બાબતે સમજાવવા જતા દંપતીએ તેની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો તથા નાક ઉપર પથ્થર મારીને ઇજા કરી હતી જેથી યુવાનની પત્નીએ દંપતીની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા રવિનાબેન લલીતભાઈ રાઠોડ (૩૧) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પતિ પોતાની રીક્ષા લઈને શેરીમાંથી નીકળતા હતા ત્યારે શેરીમાં પડેલા લાકડા બાબતે સામેવાળાને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે અનિતાબેન સોલંકીએ ફરિયાદીના પતિને ઉશ્કેરાઈ જેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ડાબા પગના પંજામાં પથ્થર મારીને ઇજા કરી હતી તેમજ જેસીંગભાઇ સોલંકીએ પથ્થર વડે ફરિયાદીના પતિને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે તપાસ અધીકારી વાલભા ચાવડા દ્રારા હાલમાં અનિતાબેન જેસીંગભાઇ સોલંકી (૪૦) અને જેસિંગભાઈ ભીમાભાઇ સોલંકી (૪૫) રહે. બંન્ને ઉમિયાનગર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીમાં શનાળા રોડ સમયના ગેઇટ પાસે આવેલ માંગરની વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ગણેશ કનજારિયા (૩૨) અને હિતેશ જગદીશ કનજારિયા (૧૭) ને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ ઉમિયા સર્કલ પાસેથી અવની ચોકડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા અકસ્માત બનાવ બન્યો હતો જેમાં બંનેને ઇજા થતાં સારવારમાં લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભોલાભાઈ ભગવાનજીભાઈ કોળી નામના ૪૫ વર્ષના યુવાનને નગરપાલિકા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ વંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ભવાની સોડા વાળી શેરીમાં રહેતા રવિ સવજી ભીલ દ્વારા તેમને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News