મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ અને ટંકારા શિશુ મંદિર દ્વારા મેડિકલ કેમ્પ યોજાશે મોરબીમાં યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા બ્લડની તાત્કાલિક જરૂરિયાત પુરી કરાઇ તસ્કરોનું નાઈટ પેટ્રોલીંગ ચાલુ !: માળિયા (મિં)ના રોહિશાળા ગામે એક જ રાતમાં 3 મકાન, 2 મંદિર, દુકાન અને ગ્રામ પંચાયતમાં ચોરી મોરબીમાં શિવરાત્રીના દિવસે દુકાનો ખુલ્લી રાખીને નોનવેજનું વેચાણ કરનારા બે વેપારી સામે ગુનો નોંધાયો મોરબી જિલ્લા ભાજપમાં ઉપપ્રમુખ નિર્મળાબેન હડિયલનું અનસ્ટોપેબલ વોરિયર્સ દ્વારા કરાયું સન્માન મોરબી જીલ્લામાં CET ની પરીક્ષા વધુ માર્કસ મેળવનારા વિદ્યાર્થીઓએ કર્યો સાયન્સ સીટીનો પ્રવાસ મોરબીમાં લોકોને નાના દરની ચલણી નોટ આપવાનું કહીને અઢી લાખની ઠગાઇ કરનારા આરોપીની ધરપકડ મોરબીમાં સોની યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકિશોરને પોલીસે હસ્તગત કર્યા: હથિયાર-વાહન કબ્જે
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયાનગરમાં યુવાન માર મારનારા દંપતીની ધરપકડ


SHARE













મોરબીના ઉમિયાનગરમાં યુવાન માર મારનારા દંપતીની ધરપકડ

મોરબીના ઉમિયાનગરમાંથી યુવાન પોતાની રિક્ષા લઈને જતો હતો ત્યારે શેરીમાં પડે લાકડા બાબતે સમજાવવા જતા દંપતીએ તેની સાથે બોલાચાલી કરીને માર માર્યો હતો તથા નાક ઉપર પથ્થર મારીને ઇજા કરી હતી જેથી યુવાનની પત્નીએ દંપતીની સામે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપી દંપતિની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમિયાનગરમાં રહેતા રવિનાબેન લલીતભાઈ રાઠોડ (૩૧) એ બી ડિવિઝન પોલીસ સ્ટેશને દંપતી સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેઓના પતિ પોતાની રીક્ષા લઈને શેરીમાંથી નીકળતા હતા ત્યારે શેરીમાં પડેલા લાકડા બાબતે સામેવાળાને સમજાવવા માટે ગયા હતા અને ત્યારે અનિતાબેન સોલંકીએ ફરિયાદીના પતિને ઉશ્કેરાઈ જેને ગાળો આપીને ઢીકાપાટુનો માર માર્યો હતો તથા ડાબા પગના પંજામાં પથ્થર મારીને ઇજા કરી હતી તેમજ જેસીંગભાઇ સોલંકીએ પથ્થર વડે ફરિયાદીના પતિને નાકના ભાગે માર મારીને ઈજા કરી હતી જેથી ઇજા પામેલ યુવાનની પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે તપાસ અધીકારી વાલભા ચાવડા દ્રારા હાલમાં અનિતાબેન જેસીંગભાઇ સોલંકી (૪૦) અને જેસિંગભાઈ ભીમાભાઇ સોલંકી (૪૫) રહે. બંન્ને ઉમિયાનગર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીમાં શનાળા રોડ સમયના ગેઇટ પાસે આવેલ માંગરની વાડી વિસ્તારમાં રહેતા જગદીશ ગણેશ કનજારિયા (૩૨) અને હિતેશ જગદીશ કનજારિયા (૧૭) ને વાહન અકસ્માતમાં ઇજા થતા ખાનગી દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તેઓ ઉમિયા સર્કલ પાસેથી અવની ચોકડી તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા અકસ્માત બનાવ બન્યો હતો જેમાં બંનેને ઇજા થતાં સારવારમાં લઈ જવાયા હતા.

મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા ભોલાભાઈ ભગવાનજીભાઈ કોળી નામના ૪૫ વર્ષના યુવાનને નગરપાલિકા પાસે મારામારીના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને બનાવ વંગે વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબીના રવાપર રોડ ભવાની સોડા વાળી શેરીમાં રહેતા રવિ સવજી ભીલ દ્વારા તેમને ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો હાલ એ ડિવિઝન પોલીસ દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.








Latest News