મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

નવલખી પાસેના જુમાવાડીના લોકોને કેશડોલની સહાય ચુકવવાની માંગ


SHARE













નવલખી પાસેના જુમાવાડીના લોકોને કેશડોલની સહાય ચુકવવાની માંગ

મોરબી જીલ્લામાં પણ વાવાઝોડાની અસર થાય તેવી શક્યતા હતી જેથી નવલખી પાસેના જુમાવાડી વિસ્તારને ખાલી કરાવવામાં આવ્યો હતી અને તા ૧૩/૦૬/૨૦૧૩ થી ૧૬/૦૬/૨૦૨૩ દરમ્યાન બિપોરજોય વાવાઝોડાની આગાહી હતી જેથી ત્યાંના ૧૨૦૦ થી વધુ લોકોને ન્યુ નવલખી પ્રાથમિક શાળા ખાતે સ્થળાંતર થવા માટે મામલતદાર તથા તાલુકા વિકાસ અધિકારીના કહેવાથી ગયા હતા અને જુમાવાડી વિસ્તારના તમામ લોકો સ્થળાંતર થઈ ગયેલ હતાં. પરંતુ ૧૨૦૦ થી વધુ લોકોને પ્રાથમિક શાળા ખાતે રહી શકે તેવી વ્યવસ્થા ન હોવાથી મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીએ જે લોકોને તેમના સગા-સંબંધીના ઘરે જવું હોય તેને જવા માટે કહેવામા આવ્યું હતું જો કે, તા. ૧૭/૦૬/૨૦૨૩ ના રોજ તાલુકાની ટીમ દ્રારા કેશડોલ સહાય ચુકવવામાં આવેલ ત્યારે તેમણે માત્ર પ્રાથમિક શાળામાં સ્થળાંતર લોકોને જ સહાય ચુકવી છે જેથી કરીને તેનો તે લોકોએ અસ્વીકાર કરેલ છે અને જુમાવાડી વિસ્તારના તમામ ૧૨૦૦ થી વધુ લોકો કે જેમનું સ્થળાંતર કરવામાં આવેલ છે તેને કેશડોલ ચુકવવામાં આવે તથા ઘરવખરી નુકશાનીની સહાય ચુકવવામાં આવે તેવી જુસબભાઈ ઓસમાણભાઈ સાંઈચાની આગેવાની હેઠળ કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે






Latest News