વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત ટંકારાના મીતાણા નજીક રીક્ષામાં બેઠેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ કરનાર રાજકોટના શખ્સ સહિત બે પકડાયા: 6.81 લાખનો મુદામાલ કબ્જે મોરબીના પાનેલી ગામે જૂના મનદુ:ખમાં યુવાન ઉપર ધોકા વડે હુમલો, ચાર સામે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીના સામાકાંઠા વિસ્તારના પરિવારની યુવતી ગુમ, ફરિયાદ નોંધાતા તપાસ શરૂ મોરબીમાં આવેલ જીઆઇડીસીમાં ડેરીની અંદર દૂધ ગરમ કરવાના બોઇલરમાં થયો બ્લાસ્ટ: એકને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના આંદરણા પાસે અકળ કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું


SHARE













મોરબીના આંદરણા પાસે અકળ કારણોસર યુવાને અંતિમ પગલું ભર્યું

મોરબી હળવદ હાઇવે ઉપર આવેલ આંદરણા ગામ પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને ૧૦૮ મારફતે તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં હાલમાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના જુના દેવળીયા વાડી વિસ્તારમાં રહેતો દલાભાઈ બસીરભાઈ નાયક (૨૦) નામનો યુવાન મોરબી તાલુકાના અંદરણા ગામ તરફ જતા રસ્તા ઉપર ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવ અંગેની સરકારી હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી હતી અને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને મૃતક યુવાને કયા કારણોસર ઝેરી દવા પીને આપઘાત કરેલ છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે હાલમાં આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે

બીમારી સબબ મોત

મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે રહેતા ગાયત્રીબેન નારાયણસિંઘ (૪૫) છેલ્લા એક અઠવાડિયાથી બીમાર હોય તેની તબિયત વધુ બગડતા તેના પતિ નારાયણસિંઘ વાહનમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે હોસ્પિટલે ફરજ પરના ડોક્ટરે જોઈ તપાસીને મહિલાને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News