માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીમાં જેલ સામેના વિસ્તારમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે છથી વધુ શખ્સોએ કર્યો હુમલો


SHARE













મોરબીમાં જેલ સામેના વિસ્તારમાં યુવાન ઉપર તલવાર-પાઇપ વડે છથી વધુ શખ્સોએ કર્યો હુમલો

મોરબીમાં સબજેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા યુવાનને તેના ઘર પાસે બપોરના સમયે છ થી વધુ શખ્સો દ્વારા તલવાર અને પાઇપ વડે માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલ યુવાનને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવેલ છે અને આ બનાવની રાજકોટ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં સબ જેલની સામેના ભાગમાં આવેલ વિસ્તારમાં રહેતા અજય ગોવિંદભાઈ પરમાર જાતે વાલ્મિકી (૩૦) નામના યુવાનને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તેને પ્રાથમિક સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવામાં આવ્યો છે અને હાલમાં રાજકોટ ખાતેથી જાણવા મળતી માહિતી પ્રમાણે અજય પરમાર રામદેવપીરના મંદિર પાસે તેના ઘર નજીક બપોરના સાડા ત્રણ વાગ્યાના સમયે હતો ત્યારે અતુલ, આદેશ, પપ્પુ, સુમો, વિપુલ અને અજાણ્યા શખ્સોએ મળીને તેના ઉપર તલવાર અને પાઇપ વડે હુમલો કર્યો હતો અને તેને માર મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે હાલમાં રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી છે અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને ફરિયાદ લેવા માટેની કવાયત ચાલી રહી હોવાનું જાણવા મળેલ છે

અકસ્માતમાં ઇજા

મોરબી નજીકના નાનીવાવડી ગામે રહેતા રમણીકભાઈ હીરાભાઈ ઉભડિયા (૨૩) નામનો યુવાન મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ સોખડા-બહાદુરગઢ ગામના પાટીયા પાસે સુનિલ એન્ટરપ્રાઇઝ નામના કારખાનામાં કામગીરી કરી રહ્યો હતો ત્યારે ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા શરીરને ઇજા થઇ હોવાથી રમણીકભાઈને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવવા અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News