માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડ ઉપર ખુંટીયાએ બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં


SHARE













મોરબીના નવલખી રોડ ઉપર ખુંટીયાએ બાઇકને હડફેટે લેતા ઇજાગ્રસ્ત આધેડ સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર કુબેરનગરના નાલા પાસેથી બાઈક લઈને જઈ રહેલા આધેડના બાઇકને ખુંટીયાએ હડફેટે લીધું હતું જેથી ઇજા પામેલા આધેડને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. 

વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે મોરબીના વીસી ફાટક પાસે આવેલ પટેલ બોર્ડિંગના સામેના ભાગે વીસીપરા વિસ્તારમાં રહેતા ભુપતભાઈ દેવાભાઈ સોલંકી નામના ૬૯ વર્ષના આધેડ બાઈક લઈને મોરબીના નવલખી રોડ ઉપરથી જતા હતા ત્યારે ત્યાં કુબેરનગરના નાલા પાસે તેમના બાઇકને ખૂટીંયાએ હડફેટે લીધું હતું જેથી તેઓ બાઇક સહિત નીચે પટકાયા હતા અને ભુપતભાઇને ઈજાઓ પહોંચતા તેમને અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના વિ.કે.પટેલ દ્વારા નોંધ કરી તપાસ ચલાવવામાં આવી રહી છે. અત્રે નોંધનીય છે કે મોરબી પંથકમાં છેલ્લા કેટલાક દિવસથી મુખ્ય માર્ગો ઉપર રજડતા ઢોરનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે.વરસાદના લીધે ગારા ખીચડનું શહેરમાં સામ્રાજ્ય હોય સોસાયટી વિસ્તારમાંથી ઢોર મુખ્ય માર્ગો ઉપર આવી જતા હોવાના લીધે મોરબીના શક્તિચોક પાસેમોરબીના વન વે રોડ ઉપર ગોલા બજાર પાસેવાવડી રોડ ઉપરશનાળા રોડ અને રવાપર રોડ તેમજ શાક માર્કેટ આસપાસના વિસ્તારોમાં મુખ્ય માર્ગો ઉપર સતત ઢોર રજડતા જોવા મળે છે અને જેના લીધે વાહન ચાલકો ઉપર સતત અકસ્માતનો ભય રહેતો હોય પાલિકા દ્વારા આ બાબતે પગલા લેવામાં આવે તે પણ જરૂરી છે.

ગુમ થયેલ યુવાન મળી આવ્યો

મોરબીના લાયન્સનગર વિસ્તારમાંથી યુવાન ઘરેથી કંઈ કહ્યા વગર ચાલ્યો ગયો હતો જેથી તેના ભાઈએ પોલીસને જાણ કરી હતી અને બાદમાં યુવાન મળી આવ્યો હતો.આ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકના વી.ડી.મેતા પાસેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના લાયન્સનગર વિસ્તારમાં રહેતો અને મૂળ જોડીયાના માધાપર ગામનો રહેવાસી અશ્વિન ઉર્ફે જગો લાલજીભાઇ વઘોરા નામનો ૨૦ વર્ષનો યુવાન તા.૨૮-૬ ના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વિના ચાલ્યો ગયો હતો જેથી લાલજીભાઈ શામજીભાઈ વઘોરા (૪૦) દ્વારા આ અંગે પોલીસમાં જાણ કરાતા નોંધ દાખલ થઈ હતી અને બાદમાં યુવાન પોતાની મેળે ઘરે આવી ગયો હતો અને તેણે પોલીસને આપેલા નિવેદનમાં તેને જણાવ્યું હતું કે પરિવારજનો દ્વારા તેને ઠપકો આપવામાં આવ્યો હતો જે બાબતનું લાગી આવતા તે ચાલ્યો ગયો હતો






Latest News