માળીયા (મી)ના મોટાભેલા ગામે વાડામાં કામ કરતાં યુવાનને સથાળમાં નોળિયો કરડી ગયો મોરબીના જૂના વનાળીયા ગામે પાળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોધાર મહોત્સવમાં રાજકીય-સામાજિક આગેવાનો સહિત હાજરો લોકો જોડાયા ટંકારામાં આર્યસમાજ દ્વારા ગુરૂવારથી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ: યજ્ઞ, શોભાયાત્રા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમોનું આયોજન મોરબીના પરમ જોલાપરાને ઇન્ટરનેશનલ આઇકોન એવોર્ડ-૨૦૨૬ એનાયત મોરબી મનપામાં ઓનલાઇન વેબસાઈટથી નગરજનોએ ભર્યા 3 કરોડ: ૪ મહિનામાં ૪૦૦૦ થી વધુ ફરિયાદ મોબાઈલ એપ્લિકેશનથી મળી મોરબીમાં નગર દરવાજા ચોકમાં જૂના બસ સ્ટેશન સુધીના વિસ્તારમાં લારી, ગલ્લા અને પાથરણાના દબાણોને હટાવતી મહાપાલિકા મોરબીમાં દીકરીના પ્રથમ જન્મ દિવસે યુવાન દ્વારા 11,111 બાજરાના રોટલા ગાય માતાને ખવડાવવાનો સંકલ્પ મોરબી જિલ્લા પંચાયતમાં 24 મી ફેબ્રુઆરીએ બજેટ બોર્ડ બેઠક
Breaking news
Morbi Today

મોરબીના પાનેલી પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE













મોરબીના પાનેલી પાસે પાણીના ખાડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના પાનેલી ગામ પાસે ખાડામાં નહાવા ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને તથા મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગની ટીમ દ્વારા ખાડાના પાણીમાં યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને બોડીને બહાર કાઢવામાં આવેલ છે આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી પ્રમાણે મૂળ એમપીનો રહેવાસી અને હાલમાં મોરબીના પાનેલી રોડ ઉપર આવેલ સીમોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કમલદાસ દેવદાસ કુમરે જાતે ગોડ આદિવાસી (૩૭) પાનેલી ગામ પાસે ખાડામાં ભરાયેલ પાણીમાં ન્હાવા માટે ગયો હતો ત્યારે કોઈ કારણોસર તે અકસ્માતે પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવ અંગેની કારખાનેદાર હિરેનભાઈ પટેલ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી કરીને પોલીસ ઘટના પહોંચી હતી અને ત્યારબાદ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જેથી કરીને ઘટના સ્થળે પહોંચી પાણીના ખાડામાં ડૂબી ગયેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી અને દરમિયાન પાણીમાંથી યુવાનની ડેડબોડી મળી આવતા બોડીને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની સંજયભાઈ મનીષભાઈ (૨૦) રહે. હાલ પાનેલી રોડ સિમોરા સીરામીક લેબર કવાર્ટર વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે

ભાભીને દિયરે માર માર્યો

મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા અસ્મિતાબેન પ્રવીણભાઈ ચાવડા (૩૦) નામની મહિલાને માર માર્યો હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એમ.એલ બારૈયા ચલાવી રહ્યા છે વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અસ્મિતાબેનને તેના દિયર કમલેશભાઈ દેવજીભાઈ ચાવડાએ માર માર્યો હોવાથી તેને ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ લઈને આવ્યા હતા






Latest News