મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને દારૂ પીવડાવીને માર મારતા સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં યુવાનને દારૂ પીવડાવીને માર મારતા સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા યુવાનને નશો કરાવ્યા બાદ તેને માર મારવામાં આવ્યો હોય મોરબી સિવિલે સારવાર માટે લવાયો હતો અને અહીંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ જવાયો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબી તાલુકાના ધુળકોટ ગામે રહેતા ધનસુખ દેવજીભાઈ વાઘેલા નામના ૨૬ વર્ષના યુવાનને ધુળકોટ ગામે આમરણ રોડ ઉપર કોઈના દ્વારા દારૂ પીવડાવવામાં આવ્યા બાદ ધનસુખભાઇને માર મારવામાં આવ્યો હતો.જેથી ઇજા પામેલ ધનસુખ વાઘેલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો.અહીં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર અર્થે રાજકોટ ખસેડાયો હતો અને આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકે જાણ થતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલે આ બનાવની આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના સામાકાંઠે વાંકાનેર હાઇવે ઉપર આવેલ જૂની કુબેર ટોકીઝ પાસે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો.જેમાં કાર્તિક લલિતભાઈ શાહ (૨૬) રહે.મારૂતિ ગોલ્ડ સિરામિક પાસે લાલપર વાંકાનેર હાઇવે મોરબી-૨ ને ઇજા થતા સિવિલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી.જ્યારે હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી સતિષભાઈ ઉર્ફે ચતુરભાઈ ખાંભળીયા નામના ૫૦ વર્ષીય આધેડને ભલગામડા રોડ નજીક મારામારીના બનાવમાં ઇજા થતા સારવાર માટે અત્રેની સીવીલે લાવવામાં આવ્યા હતા.

બાળક સારવારમાં

મોરબીના સામાકાંઠે આવેલા ભડીયાદ રોડ ઉપરની જવાહર સોસાયટીમાં રહેતા કિશન દેવાભાઈ ભરવાડ નામના છ વર્ષના બાળકને સ્કૂલ ટીચરે માર માર્યો હોય સારવાર માટે સિવિલે લાવવામાં આવ્યો હતો.બી ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે રચના સ્કૂલમાં અભ્યાસ કરતા કિશન ભરવાડ નામના છ વર્ષના બાળકને શાળાના કોઈ ટીચર દ્વારા માર મારવામાં આવતા તેને સારવાર માટે દવાખાને લાવવામાં આવ્યો હતો.બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર આ સંદર્ભે વધુ તપાસ ચલાવી રહ્યા છે.






Latest News