મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો હાલમાં અડધો ફૂટ ખુલ્લો


SHARE









મોરબીના મચ્છુ-૩ ડેમનો એક દરવાજો હાલમાં અડધો ફૂટ ખુલ્લો

મોરબી જીલ્લામાં શનિવારે સારો વરસાદ થયો હતો અને હાલમાં મચ્છુ નદીમાં પાણીની આવક સારી છે ત્યારે મોરબી નજીકના મચ્છુ-૩ ડેમના એક દરવાજાને હાલમાં અડધો ફૂટ ખોલવામાં આવ્યા છે અને આ ડેમની નીચેના ભાગમાં આવતા મોરબી અને માળીયા તાલુકાનાં ૨૦ ગામના લોકોને એલર્ટ કરવામાં આવ્યા હતા

મોરબી તાલુકાનાં સાદુળકા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના મચ્છુ-૩ ડેમમાંથી છેલ્લા ઘણા દિવસોથી રૂલ લેવલ જાળવવા માટે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે અને ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જો કે, શનિવારે મોરબીમાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેથી કરીને મચ્છુ નદી મારફતે હાલમાં મચ્છુ-૩ ડેમમાં પાણીની આવક વધવા લાગી છે ત્યારી ડેમના એક દરવાજાને બે ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને અધિકારી પાસેથી મળતી માહિતી મુજબ ૧૬૭૬ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૧૬૭૬ કયુસેક પાણીની જાવક કરવામાં આવી હતી જો કે, આજે સવારે નવ વાગ્યા અધિકારીની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, ડેમના એક દરવાજાને હાલમાં અડધો ફૂટ ખુલ્લા રાખીને હાલમાં મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને ૪૧૭ કયુસેક પાણીની આવકની સામે ડેમમાંથી ૪૧૭ કયુસેક પાણીની જાવક કરવામાં આવી રહી છે અને નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે જેથી કરીને મચ્છુ-૩ નીચેના મોરબીના ૧૧  અને માળીયાના ૯ ગામના સરપંચો સહિતના આગેવાનોને જાણ કરીને મચ્છુ નદીના પટમાં લોકોની અવર જવર ન કરવા માટે એલર્ટ કરવામાં આવેલ છે






Latest News