મોરબીના શ્રી સોનીબજાર ઉપાશ્રયમાં શાસન સૈનિક શિબિરમાં બાળકોને જ્ઞાન, કર્મ, ભક્તિ, શૌર્ય, બલિદાન અને સંસ્કારનો ધર્મબોધ મોરબી: ચેક રીર્ટન કેસમાં આરોપીને ૧ વર્ષની કેદ, ડબલ રકમ ચુકવવા હુકમ મોરબીમાં નોંધાયેલા સાઈબર ક્રાઈમના ગુનાના આરોપીનો જામીન ઉપર છુટકારો મોરબીમાં ચેક રીર્ટન કેસમાં એક વર્ષની કેદ-બમણી રકમ વ્યાજ સહીત ચુકવવા હુકમ કરતી કોર્ટ મોરબી નજીક યુવાનની નિર્મમ હત્યા કરવાના બનાવમાં હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારી સહિત 6 સામે ફરિયાદ: આરોપીઓ પોલીસની હાથવેંતમાં મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ માળીયા (મી) હળવદ રોડ ઉપર આવેલ ધૈર્ય હોટલે મિત્રો સાથે નાસ્તો કરવા ગયેલા યુવાનની છરીનો ઘા ઝીકિને હત્યા: મોરબીની ફાયનાન્સ પેઢી સુધી તપાસનો રેલો આવે તેવા સંકેત મોરબીમાં રહેતા આધેડના મોબાઇલમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાંની સાથે જ બેન્ક એકાઉન્ટમાંથી 3 લાખ ઉપાડી ગયા
Breaking news
Morbi Today

વાંકાનેરના આંબેડકરનગર અગાઉની બોલાચાલીનો ખાર રાખીને મહિલાને માર મારીને મારી નાખવાની ધમકી


SHARE













વાંકાનેરના આંબેડકરનગર અગાઉની બોલાચાલીનો ખાર રાખીને મહિલાને માર મારીને મારી નાખવાની ધમકી

વાંકાનેરના આંબેડકરનગર શેરી નં-૫ માં રહેતી મહિલા શેરીમાંથી પસાર થઈ હતી ત્યારે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને મહિલા તથા તેની સાથે રહેલ વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો બોલીને ઢીકાપાટુનો માર મારીને મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

બનાવી જાણવા મળતી હકીકત પ્રમાણે વાંકાનેરમાં આવેલ આંબેડકર નગર શેરી નં-૫ માં રહેતા જયશ્રીબેન દિનેશભાઈ ઝાલા (૩૭)એ દીપકભાઈ બાબુભાઈ વાઘેલા રહે. આંબેડકર નગર શેરી નં-૫ વાંકાનેર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, ગઈકાલે થયેલ બોલાચાલીનો ખાર રાખીને ફરિયાદી તથા તેની સાથે રહેલ વ્યક્તિ શેરીમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે આરોપીએ ફરિયાદી મહિલા તથા તેની સાથે રહેલ વ્યક્તિને જેમ ફાવે તેમ ગાળો બોલી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને મહિલા દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મારામારીમાં ઇજા

મોરબી નજીકના લાલપર ગામે રહેતા રીટાબેન સુનિલભાઈ (૩૦) ને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત હાલતમાં તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની બધી તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે






Latest News