મોરબીમાં વરિયા પ્રજાપતિ જ્ઞાતિના 39 માં સમૂહલગ્ન સંપન્ન, 24 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા ટ્રાફિકની અંધાધૂંધી થાય તેવી શક્યતા: મોરબીના પાડાપુલને રિપેરિંગ કામ માટે ગુરુવારે રાતથી બંધ કરશે માળિયા (મી) ખાતે એસિડ પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોત મોરબી જીલ્લામાં આવેલ રામપરા વન્યપ્રાણી અભ્યારણ્યમાં સિહ, દીપડા સહિત ૧૦૦થી વધુ પ્રજાતિના વન્યપ્રાણીઓનો વસવાટ મોરબી નજીક કારખાનામાં આગ લાગતા મશીનરી-શેડમાં 32.72 લાખથી વધુનું નુકસાન મોરબીમાં કરોડોના ખર્ચે બનેલ અંડર ગ્રાઉન્ડ ભૂગર્ભ ગટરના પમ્પિંગ સ્ટેશન વર્ષો સુધી બંધ રહ્યા તેના માટે જવાબદાર કોણ ?: પુષ્પરાજસિંહ જાડેજા મોરબીમાં અજાણ્યા શખ્સે 16 વર્ષના સગીરને છરીનો ઘા ઝીકયો મોરબીના લાલપર નજીક સર્વિસ રોડ ઉપર અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા માથામાં ઇજા થવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામેથી બુલેટ ચોરીને એમપીમાં મોજ કરતો શખ્સ પકડાયો


SHARE













મોરબીના શનાળા ગામેથી બુલેટ ચોરીને એમપીમાં 'મોજ' કરતો શખ્સ પકડાયો

મોરબી નજીકના શનાળા ગામેથી થોડા સમય પહેલા બુલેટની ચોરી થઈ હતી અને જે સંદર્ભે પોલીસને જાણ કરવામાં આવી હતી દરમિયાનમાં આ બુલેટ ચોરીના કેસમાં સંડોવાયેલ ઇસમની એમપી ખાતેથી ધરપકડ કરવામાં આવેલ છે.મોરબીથી બુલેટ ચોરીને તે એમપીમાં ફરતો હતો દરમિયાનમાં ત્યાંની પોલીસે તેને પકડ્યો હતો અને તેની પાસે બુલેટના ડોકયુમેન્ટ માંગતા તેની પાસે કાગળ ન હોય આ અંગે ઉલટ તપાસ કર્યા બાદ એમપી પોલીસ દ્રારા મોરબી પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના એ ડિવિઝન પોલીસ મથકના એમ.પી. ઝાલા દ્વારા હાલમાં મહેન્દ્ર મગન મહિડા (૩૫) રહે.મગરદા થાના જિલ્લો ધાર મધ્યપ્રદેશ વાળાની વાહન ચોરીના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે.તેઓના પાસેથી વધુમાં મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના શનાળા ગામે આવેલ નીતિનનગર વિસ્તારમાં રહેતા અજયભાઈ પ્રવીણભાઈ નામના વ્યક્તિનું બુલેટ ચોરી થયું હતું અને આ બુલેટ ચોરીને મહેન્દ્ર મહિડા ભાગી ગયો હતો અને ત્યાં એમપીમાં તેને એમપી પોલીસે પકડ્યો હતો અને બાદમાં મોરબી પોલીસને જાણ કરતા ત્યાં પહોંચીને આરોપીનો વાહન સાથે કબ્જો સંભાળ્યો હતો અને બાદમાં તેને રીમાંડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.જો કે કોર્ટે રિમાંડ ના મંજૂર કરતા હાલ વાહન ચોરીના ગુનામાં મહેન્દ્ર મગન મહિડા નામના મધ્યપ્રદેશના આદિવાસી યુવાનને જેલ હવાલા કરાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા થતા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલા લુંટાવદર ગામના રહેવાસી ગીતાબેન ધીરજલાલ વાઘેલા નામના ૩૮ વર્ષના મહિલાને વાહન અકસ્માતમાં ઇજા થતા અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.સારવાર કરવામાં આવ્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરતા જણાવવામાં આવ્યું હતું કે, મોરબીના નવલખી રોડ ઉપર લુંટાવદરથી પીપળીયા તરફ જતા રસ્તે ખાખરાળા ગામ નજીક રેલ્વે ફાટક પાસે બે બાઈક અથડાયા હતા જે બનાવમાં ગીતાબેન વાઘેલાને ઇજા થતા સારવાર માટે લાવવામાં આવ્યા હતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા આ બનાવની આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News