મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસરથી મિતાણા સુધીનો રોડ પહોળો કરવા ઝબીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત


SHARE















વાંકાનેરના અમરસરથી મિતાણા સુધીનો રોડ પહોળો કરવા ઝબીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત

વાંકાનેર તાલુકાના વાલાસણ ગામથી ડેમ સુધીનો રસ્તો સાંકડો હોવાથી ત્યાં અવારનવાર અકસ્માત સર્જતા હોય છે અને ટ્રાફિકજામની સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મિતાણા રોડને પહોળો કરવા માટે થઈને મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતાએ મોરબી જિલ્લાના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે

મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબી જિલ્લાના માર્ગ મકાન વિભાગના સ્ટેટના કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરવામાં આવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે, વાંકાનેર તાલુકામાં આવતા સ્ટેટ હાઇવે નંબર ૧૨૦ અમરસરથી મીતાણા રોડ ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેમાં અમરસરથી વાલાસણ સુધી ૫.૫૦ મીટરની પહોળાઈ, વાલાસણથી ડેમ સુધી ૪ કિલો મીટર સુધી ૩.૭૫ મીટરની પહોળાઈ અને ડેમથી મીતાણા સુધી ૭ મીટરની પહોળાઈ છે આમ એક જ રસ્તા ઉપર અલગ અલગ જગ્યાએ અલગ અલગ પહોળાઈ હોવાના કારણે વાહન ચાલકોને અવારનવાર અકસ્માત અને ટ્રાફિકજામ સહિતની મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે જેથી કરીને વાલાસણથી ડેમ સુધી ચાર કિલોમીટરનો જે રસ્તો સાંકડો છે તે રસ્તાને પહોળાઈ વધારવામાં આવે તેના માટે થઈને રજૂઆત કરવામાં આવી છે અને આ રસ્તો સાંકડો હોવાના કારણે જે અકસ્માતો થાય છે તેના નિવારણ માટે થઈને વહેલામાં વહેલી તકે આ કામગીરી કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના શાસક પક્ષના નેતા ઝબીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયારજૂઆત કરેલ છે






Latest News